SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યજ્ઞાન પ્રકરણ સમ્યજ્ઞાનના પાંચ પ્રકાર છે - (સૂત્ર-૧૯) (૧) મતિજ્ઞાન - પાંચ ઈન્દ્રિયો અને મનથી થતું અક્ષર વિનાનું જ્ઞાન તે મતિજ્ઞાન. (૨) શ્રુતજ્ઞાન - શબ્દ સાંભળતા, બોલતા, જોતાં કે પાંચ ઈન્દ્રિયો અને મનથી થતું અક્ષરવાળું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. (૩) અવધિજ્ઞાન - અમુક મર્યાદા સુધીમાં રહેલા રૂપી પદાર્થોનું ઈન્દ્રિય અને મન વિના થતું જ્ઞાન તે અવધિજ્ઞાન. (૪) મન:પર્યવજ્ઞાન - સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનના ભાવોને જણાવનારું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન. (૫) કેવળજ્ઞાન - લોકાલોકના બધા દ્રવ્યોના ત્રણે કાળના બધા પર્યાયોનું એકસાથે એક સમયે થતું જ્ઞાન તે કેવળજ્ઞાન, અથવા મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાનો સિવાયનું જ્ઞાન તે કેવળજ્ઞાન. આ પાંચ પ્રકારનું જ્ઞાન એ બે પ્રમાણરૂપ છે. તે આ પ્રમાણે – પ્રત્યક્ષ અને પરોક્ષ. (સૂત્ર-૧/૧૦). પ્રત્યક્ષ પ્રમાણ - અક્ષ એટલે આત્મા. ઈન્દ્રિયોની સહાય વિના સાક્ષાત્ આત્માને થતું જ્ઞાન તે પ્રત્યક્ષ પ્રમાણ. પરોક્ષ પ્રમાણ - આત્માથી પર એવી ઈન્દ્રિયો અને મનની સહાયથી થતું જ્ઞાન તે પરોક્ષ પ્રમાણ. બૌદ્ધો બે પ્રમાણ માને છે – “પ્રત્યક્ષ, અનુમાન. D પ્રત્યક્ષ - ઇન્દ્રિયોથી થતું વિષયોનું સાક્ષાત્ જ્ઞાન તે પ્રત્યક્ષ પ્રમાણ. અનુમાન - લિંગ દ્વારા લિંગીનું જ્ઞાન કરવું તે અનુમાન પ્રમાણ. દા.ત. ધૂમાડા ઉપરથી અગ્નિનું જ્ઞાન કરવું તે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy