SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ઋદ્ધિઓ ૪૪૧ ૧૯) તેજોલેશ્યા - બીજાને બાળી નાંખે તેવી તેજોવેશ્યા મૂકવાનું સામર્થ્ય. ૨૦) શીતલેશ્યા - બીજા ઉપર કૃપા કરે તેવી શીતલેશ્યા મૂકવાનું સામર્થ્ય. ૨૧) વિષયલબ્ધિ - મતિજ્ઞાનની વિશુદ્ધિથી દેશ-પ્રમાણના નિયમોને ઓળંગીને પણ વિષયોને ગ્રહણ કરવાનું સામર્થ્ય. ૨૨) સંભિન્નજ્ઞાનત્વ - એકસાથે ઘણા વિષયોને ગ્રહણ કરવાનું સામર્થ્ય. ૨૩) કોષ્ટબુદ્ધિત્વ - કોઠીમાં નાખેલ અનાજની જેમ ગ્રહણ કરેલા પદ, વાક્યર્થ વગેરે ક્યારેય ભૂલાય નહીં એવું સામર્થ્ય. ૨૪) બીજબુદ્ધિત્વ - પદ, પ્રકરણ, ઉદ્દેશો, અધ્યાય, પ્રાભૂત, વસ્તુ, પૂર્વાગને અનુસાર સંપૂર્ણ ગ્રંથને જાણવાનું સામર્થ્ય. ૨૫) ઋજુમતિત્વ - સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યોએ વિચારેલ પદાર્થોને સામાન્યથી જાણવાનું સામર્થ્ય. ૨૬) વિપુલમતિત્વ - સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યોએ વિચારેલ પદાર્થોને વિશેષથી જાણવાનું સામર્થ્ય. ૨૭) અભિલક્ષિતાર્થપ્રાપ્તિ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય તેવું સામર્થ્ય. ૨૮) અનિષ્ટાનવામિ - અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય તેવું સામર્થ્ય. ૨૯) ક્ષીરાગ્નવિત્વ - જેનાથી સાંભળનારને વચન દૂધ જેવુ મીઠું લાગે તેવું સામર્થ્ય. ૩૦) મધ્વાસવિત્વ - જેનાથી સાંભળનારને વચન મધ જેવુ મીઠું લાગે તેવું સામર્થ્ય. ૩૧) વાદિત્વ - વિદ્વાનોની સભામાં અપરાજિત રહેવાનું સામર્થ્ય.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy