SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ બાવીસ પરીષહ (૯) ચર્યા - રામાનુગ્રામ વિચરવામાં કંટાળવું નહીં, નવકલ્પી વિહાર કરવો તે ચર્ચા પરીષહ. (૧૦) નિષદ્યા - સ્ત્રી-પશુ-નપુંસક રહિત સ્થાનમાં અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરીને રહેવું તે નિષદ્યા પરીષહ. (૧૧) શધ્યા- કર્કશ, કઠણ વગેરે પ્રતિકૂળ સંથારો મળે કે ધૂળવાળોઠંડો-ગરમ ઉપાશ્રય મળે તો ઉગ ન કરવો તે શય્યા પરીષહ. (૧૨) આક્રોશ - કોઈ આક્રોશ કરે તો તેની ઉપર દ્વેષ ન કરવો પણ તેને ઉપકારી માનવો તે આક્રોશ પરીષહ. (૧૩) વધ - કોઈ મારે તો પણ મારનાર ઉપર ખરાબ ભાવ ન ભાવવો પણ “આત્મા અવિનશ્વર છે અને શરીર નશ્વર છે' એમ વિચારી સહન કરવું તે વધુ પરીષહ. (૧૪) યાચના - સાધુએ વસ્ત્ર, પાત્રા, આહાર, પાણી, ઉપાશ્રય વગેરે બધું યાચના કરીને જ મેળવવાનું હોય છે. તેથી કુળવાન હોવાના કારણે યાચના કરવામાં લજ્જા ન રાખવી, તે યાચના પરીષહ. (૧૫) અલાભ - યાચના કરવા છતાં વસ્તુ ન મળે તો પણ દીનતા ન કરવી પણ સમતાભાવમાં લીન બનવું તે અલાભ પરીષહ. (૧૬) રોગ - તાવ-ઝાડા-ખાંસી-શ્વાસ વગેરે રોગો આવે ત્યારે ગચ્છનિર્ગત સાધુઓ ચિકિત્સા ન કરાવે, ગચ્છવાસી સાધુઓ લાભાલાભ જોઈને સહન કરે અથવા શાસ્ત્રમાં કહેલ વિધિ મુજબ ચિકિત્સા કરાવે તે રોગ પરીષહ. (૧૭) તૃણસ્પર્શ - ડાભ વગેરે પોલાણ વિનાના ઘાસની ઉપર સંથારો-ઉત્તરપટ્ટો પાથરીને સૂતા હોય ત્યારે તેની અણીઓ શરીરમાં વાગે તો તેને સહન કરવી, વસ્ત્રનો સંથારો પણ જીર્ણ કે કર્કશ હોય તો તેને સહન કરવું તે તૃણસ્પર્શ પરીષહ.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy