SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ વર્ધમાન આયંબિલ તપ ભદ્રોત્તર તપની તીર્જી, ઊભી અને ત્રાંસી દરેક પંક્તિમાં ઉપવાસોનો સરવાળો ૩૫ છે. ૫ | ૬ | ૭ | ૮ | ૯ ૬ | ૭ | ૮ | ૯ | ૫ ૯ | ૫ | ૬ | ૭ | ૮ (૧૫) વર્ધમાન આયંબિલ તપ- પહેલા ૧ આયંબિલ - ૧ ચોથભક્ત કરવા. પછી ર આયંબિલ – ૧ ચોથભક્ત કરવા. પછી ૩ આયંબિલ -૧ ચોથભક્ત કરવા. પછી ૪ આયંબિલ - ૧ ચોથભક્ત કરવા. એમ ૧-૧ આયંબિલ વધારવું અને છેલ્લે ચોથભક્ત કરવું. યાવત્ છેલ્લે ૧૦૦ આયંબિલ અને ૧ ચોથભક્ત કરવું. આમાં તપના કુલ ૫,૧૫૦ દિવસ થાય, એટલે ૧૪ વર્ષ ૩ માસ અને ૨૦ દિવસ થાય. આવા અનેક પ્રકારના તપો છે. સાધુની ૧૨ પ્રતિમાઓ પણ વિશિષ્ટ પ્રકારનો તપ છે. સાધુની ૧૨ પ્રતિમા - પ્રતિમા એટલે વિશેષ પ્રકારનો અભિગ્રહ. સાધુની આવી ૧૨ પ્રતિમા છે. તે આ પ્રમાણે (૧) એકમાસિકી પ્રતિમા - ૧ માસમાં દરરોજ ભોજનની ૧ દત્તિ અને પાણીની ૧ દત્તિ વાપરે. આ પ્રતિમાની વિશિષ્ટ ચર્યા આ પ્રમાણે છે – (૧) આપનારનો એક પગ ઉંબરાની અંદર હોય અને બીજો પગ ઉંબરાની બહાર હોય તો વહોરવું કલ્પ.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy