SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય 3७७ હોય, જે સાધ્વીઓને સચિત્ત-અચિત્ત-મિશ્ર વસ્તુની અનુજ્ઞા આપે, સ્વયં મોક્ષ માટે પ્રવર્તે અને અન્ય સાધ્વીઓને સારણા વગેરે વડે મોક્ષમાર્ગમાં પ્રવર્તાવે તે પ્રવર્તિની. (૩) તપસ્વીની વૈયાવચ્ચ - ૪ ઉપવાસથી ૬ માસના ઉપવાસ સુધીનો વિકૃષ્ટ તપ કરે તે તપસ્વી. (૪) શૈક્ષકની વૈયાવચ્ચ - જેની નવી દીક્ષા થઈ હોય તે શિક્ષક. (૫) ગ્લાનની વૈયાવચ્ચ - ગ્લાન એટલે રોગી. (૬) ગણની વૈયાવચ્ચ - એક શ્રુતસ્થવિરની પરંપરા તે ગણ. (૭) કુલની વૈયાવચ્ચ - એક આચાર્યની પરંપરા તે કુલ. (૮) સંઘની વૈયાવચ્ચ - સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમુદાય તે સંઘ. (૯) સાધુની વૈયાવચ્ચ - જે પાંચ મહાવ્રતને ધારણ કરે અને મોક્ષમાર્ગને સાથે તે સાધુ. (૧૦) સાંભોગિકની વૈયાવચ્ચ - જેમની સાથે બાર પ્રકારનો સંભોગ (લેવડ-દેવડ) થાય તેવા એક જ સામાચારીનું આચરણ કરનારા અન્ય ગણના સાધુ તે સાંભોગિક. બાર પ્રકારનો સંભોગ આ પ્રમાણે છે – અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્રા, કામળી, રજોહરણ, સોય, અસ્ત્રો, નખ કાપવાનું સાધન અને કાનનો મેલ કાઢવાનું સાધન. આચાર્ય વગેરે દશની અન્ન-પાણી-વસ્ત્ર-પાત્રા-ઉપાશ્રય-પીઠ-ફલકસંથારો-ઔષધ વગેરે ધર્મસાધનો વડે અને જંગલ વગેરે સંકટોમાં રક્ષણ કરવા વડે સેવા કરવી તે વૈયાવચ્ચ. () સ્વાધ્યાય - તેના ૫ ભેદ છે - (સૂત્ર-૯૨૫)
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy