SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ સમિતિ જવાબ આપવો વગેરેમાં વાણીને જયણાપૂર્વક પ્રવર્તાવવી તે વચનગુપ્તિ અથવા મૌન રહેવું તે વચનગુતિ. ૩) મનગુપ્તિ - મનને અશુભ વિચારોથી રોકવું અને શુભમાં પ્રવર્તાવવું તે મનગુપ્તિ, અથવા શુભ અને અશુભ એવા સંકલ્પોનો નિરોધ તે મનગુતિ. (B) સમિતિ - સર્વજ્ઞ ભગવાને કહેલા આગમ અનુસાર પ્રવૃત્તિ કરવી તે સમિતિ. તેના ૫ ભેદ છે – (સૂત્ર-૯/૫) ૧) ઈર્યાસમિતિ - જરૂરી કાર્ય આવે ત્યારે જીવોની રક્ષા માટે ગાડાની ધૂસરી જેટલી ભૂમિને જોઈને ઉપયોગપૂર્વક ચાલવું તે ઇર્યાસમિતિ. ૨) ભાષાસમિતિ - મુહપત્તિના ઉપયોગપૂર્વક હિતકારી, પરિમિત, સંદેહરહિત અને નિરવદ્યવચન બોલવા તે ભાષાસમિતિ. સાવઘવચન એટલે જેનાથી પાપ લાગે તેવા વચન, જેવા કે આદેશના વચન, અસત્ય વચન, આરંભની અનુમોદનાના વચન અને જ-કારપૂર્વકના વચન. સાવઘવચનથી વિપરીત વચન તે નિરવદ્ય વચન. ૩) એષણા સમિતિ - ગવેષરૈષણા, પ્રહરૈષણા અને ગ્રામૈષણાના ૪૭ દોષોથી રહિત આહાર, પાણી, વસ્ત્ર, પાત્રા વગેરે લાવવા અને વાપરવા તે એષણાસમિતિ. ૪) આદાનનિક્ષેપસમિતિ - વસ્તુ લેતા-મૂકતા જોવું તથા પ્રમાર્જવું તે આદાનનિક્ષેપસમિતિ. ૫) પારિષ્ઠાપનિકાસમિતિ - મળ, મૂત્ર, શ્લેષ્મ, કફ, ઘૂંક, અશુદ્ધ આહાર-પાણી વગેરેનો જંતુરહિત જગ્યાએ વિધિપૂર્વક ત્યાગ કરવો તે પારિષ્ઠાપનિકાસમિતિ. (C) ધર્મ - નરક વગેરે દુર્ગતિમાં પડતા જીવોને બચાવે તે ધર્મ.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy