SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ગોત્રકર્મ, અંતરાયકર્મ ૩૪૧ (૧૦) અપયશનામકર્મ - જે કર્મના ઉદયથી મધ્યસ્થજનથી પણ અપકીર્તિ થાય તે અપયશનામકર્મ. આમ નામકર્મના કુલ ૧૪+૮+૨૦=૪૨ ભેદ છે. પિંડપ્રકૃતિની ઉત્તરપ્રકૃતિઓ ગણીએ તો નામકર્મના (૪+૫+૫+ ૩+૧૫+૫+૬+૬+૨૦+૪+૨)+૮+૨૦=૭૫+૮+૨૦=૧૦૩ ભેદ થાય. બંધનનામકર્મના ૧૫ ભેદની બદલે ૫ ભેદ ગણીએ તો નામકર્મના (૪+૫+૫+૩+૫+૫+૬+૬+૨૦+૪+૨)+૮+૨૦=૬૫+૮+૨૦ = ૯૩ ભેદ થાય. વર્ણનામકર્મ, ગંધનામકર્મ, રસનામકર્મ, સ્પર્શનામકર્મના ઉત્તરભેદ ન ગણતા મુખ્ય ૪ ભેદ ગણીએ અને બંધનનામકર્મ-સંઘાતનામકર્મનો શરીરનામકર્મમાં સમાવેશ કરીએ તો નામકર્મના (૪+૫+૫+૩+૬+ ૬+૪+૪+૨)+૮+૨૦=૩૦+૮+૨૦ = ૬૭ ભેદ થાય. આમ નામકર્મના વિવિધ રીતે ૪૨, ૬૭, ૯૩ કે ૧૦૩ ભેદ થાય. ૭) ગોત્રકર્મ - જે કર્મના ઉદયથી જીવને ઊંચા કે નીચા ગોત્રની પ્રાપ્તિ થાય તે ગોત્રકર્મ. તેના બે ભેદ છે – (સૂત્ર-૮/૧૩) (૧) ઉચ્ચગોત્રકર્મ - જે કર્મના ઉદયથી લોકમાં પૂજા, આદર, ગૌરવ, સત્કારની પ્રાપ્તિ થાય તેવા ઊંચા કુળમાં જન્મ થાય તે ઉચ્ચગોત્રકર્મ. (૨) નીચગોત્રકર્મ - જે કર્મના ઉદયથી લોકમાં નિંદા થાય તેવા હલકા કુળમાં જન્મ થાય તે નીચગોત્રકર્મ. ૮) અંતરાયકર્મ - જે કર્મ જીવને દાન વગેરેથી અટકાવે તે અંતરાયકર્મ. તેના ૫ ભેદ છે – (સૂત્ર-૮/૧૪)
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy