SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ નોકષાયમોહનીયકર્મ ૩૨૧ ઉપર પ્રીતિ કરાવે તે રતિમોહનીયકર્મ. (૩) અતિમોહનીયકર્મ - જે કર્મ જીવને બાહ્ય-અત્યંતર વસ્તુઓ ઉપર અપ્રીતિ કરાવે તે અતિમોહનીયકર્મ. (૪) શોકમોહનીય કર્મ - જે કર્મ જીવને શોક કરાવે તે શોકમોહનીયકર્મ. (૫) ભયમોહનીયકર્મ - જે કર્મ જીવને કારણે કે કારણ વિના ભય પમાડે તે ભયમોહનીયકર્મ. (૬) જુગુપ્સામોહનીયકર્મ - જે કર્મ જીવને શુભ-અશુભ દ્રવ્યોને વિષે જુગુપ્સા કરાવે તે જુગુપ્સામોહનીયકર્મ. (૭) પુરુષવેદમોહનીયકર્મ - જે કર્મ પુરુષને સ્ત્રીને ભોગવવાની ઇચ્છા કરાવે તે પુરુષવેદમોહનીયકર્મ. (૮) સ્ત્રીવેદમોહનીયકર્મ - જે કર્મ સ્ત્રીને પુરુષને ભોગવવાની ઇચ્છા કરાવે તે સ્ત્રીવેદમોહનીયકર્મ. (૯) નપુંસકવેદમોહનીયકર્મ - જે કર્મ જીવને પુરુષ-સ્ત્રી બંનેને ભોગવવાની ઇચ્છા કરાવે તે નપુંસકવેદમોહનીયકર્મ, પુરુષવેદ ઘાસના અગ્નિ જેવો છે. તે જલ્દીથી શાંત થઈ જાય છે. સ્ત્રીવેદ લાકડાના અગ્નિ જેવો છે. તે ઘણા કાળે શાંત થાય છે. નપુંસકવેદ છાણના અગ્નિ જેવો છે. તે અતિ ઘણા કાળે શાંત થાય છે. આમ ચારિત્રમોહનીયકર્મના કુલ ૧૬+૯=૨૫ ભેદ છે અને મોહનીયકર્મના કુલ ૩+૨૫=૨૮ ભેદ છે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy