SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ બંધતત્ત્વ - • બંધ - કાર્મણવર્ગણાના પુદ્ગલોનો આત્માની સાથે એકમેક સંબંધ થવો તે બંધ. જીવ સકષાયી હોવાથી કાર્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે અને આત્માની સાથે એકમેક કરે છે. (સૂત્ર-૮/૨,૮૩) બંધના હેતુઓ - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ - આ કર્મબંધના ૫ હેતુઓ છે. (સૂત્ર-૮/૧) ૧) મિથ્યાત્વ - ભગવાને કહેલા તત્ત્વોથી વિપરીત માન્યતા તે મિથ્યાત્વ. તેના ૫ પ્રકાર છે – (૧) આભિગ્રહિક મિથ્યાત્વ - કુદર્શનમાં રહેલા જીવો પોતાના દર્શનને જ સાચું માને છે. દા.ત. ૩૬૩ પાખંડીઓ.. (૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ - બધા ધર્મોને સમાન માનવા તે. (૩) આભિનિવેશિક મિથ્યાત્વ - કદાગ્રહને પકડી રાખવો તે. (૪) સાંશયિક મિથ્યાત્વ - ભગવાનના વચનોમાં શંકા થવી તે. (૫) અનાભોગિક મિથ્યાત્વ- અનાભોગથી એકેન્દ્રિય વગેરે અજ્ઞાન જીવોને હોય છે. તત્ત્વાર્થભાષ્યમાં મિથ્યાત્વના આભિગ્રહિક અને અનાભિગ્રહિક એમ બે જ ભેદ કહ્યા છે. શેષ ભેદોનો આ બે ભેદમાં સમાવેશ સમજી લેવો. ૨) અવિરતિ - હિંસા-અસત્ય-ચોરી-અબ્રહ્મ-પરિગ્રહ થકી મનવચન-કાયાથી અને કરણ-કરાવણ-અનુમોદનાથી અટકવું તે વિરતિ. વિરતિનો અભાવ તે અવિરતિ. તેના ૧૨ પ્રકાર છે – (૧-૬) છ કાયના જીવોની હિંસા. (૭-૧૨) પાંચ ઇન્દ્રિયો અને મનનું અનિયંત્રણ.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy