SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્યારમા અને બારમા વ્રતના અતિચાર ૩૦૫ (૩) અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિતસંસ્તારકોપક્રમણ - નહીં જોયેલી, નહીં પૂંજેલી ભૂમિ ઉપર સંથારો કરવો તે. (૪) અનાદર - પૌષધની ક્રિયાઓમાં ઉત્સાહ ન હોવો તે. (૫) ઋત્યનુપસ્થાપન - પર્વ દિવસને ભૂલી જવો તે, અથવા પૌષધ કર્યો કે નહીં તે ભૂલી જવું તે. ૧૩) અતિથિસંવિભાગ વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૩૧). (૧) સચિત્તનિક્ષેપ - નહિ દેવાની બુદ્ધિથી અન્ન વગેરે સચિત્ત ઉપર મૂકવા તે. (૨) સચિત્તપિધાન - નહિ દેવાની બુદ્ધિથી અન્ન વગેરેને સચિત્તથી ઢાંકવા તે. (૩) પરવ્યપદેશ - નહિ દેવાની બુદ્ધિથી સાધુની સામે “આ દ્રવ્ય અમારું નથી બીજાનું છે” એમ કહેવું તે. (૪) માત્સર્ય - ગુસ્સાથી ન આપવું તે, અથવા બીજા દાતાની ઈર્ષાથી આપવું તે. (૫) કાલાતિક્રમ - ભિક્ષાને ઉચિત કાળની પહેલા અથવા પછી વાપરવું તે. ૧૪) સંલેખનાના ૫ અતિચાર - (સૂત્ર-૭/૩૨) (૧) જીવિતાશંસા - અનશન વખતે મોટી પૂજા અને ઘણા લોકોને જોઈને જીવવાની ઇચ્છા થવી તે. (૨) મરણાશંસા - અનશન વખતે કોઈ સેવા-ચાકરી કરતું ન હોવાથી કે કોઈ પ્રશંસા કરતું ન હોવાથી મરવાની ઇચ્છા કરવી તે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy