SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર શિક્ષાવ્રત ૨૯૩ ૧૦) વિષવાણિજ્ય - ઝેર, યંત્રો, શસ્ત્રો, હળ વગેરેનો વેપાર કરવો તે. ૧૧) યંત્રપીડન - દળવા-ખાંડવા-પીલવાનો કે મિલો-કારખાના ચલાવવા રૂપ ધંધો કરવો તે. ૧૨) નિલંછનકર્મ - પશુ-પંખીઓના અવયવોને છેદવાનો ધંધો કરવો તે. ૧૩) દવદાન - જંગલો બાળવા વગેરેનો ધંધો કરવો તે. ૧૪) શોષણકર્મ - કૂવા, તળાવ વગેરે સૂકવવાનો ધંધો કરવો તે. ૧૫) અસતીપોષણ - વેપાર કે સરકસ વગેરે માટે પશુ-પંખી પાળવાના, પોસ્ટ્રીફાર્મ, વાઘરી, વેશ્યા, ચોર, કસાઈ, પારધીને પોષવાના ધંધા કરવા તે. ૩) અનર્થદંડવિરમણ વ્રત - જેમાં વિના કારણે જીવોની હિંસા થાય તે અનર્થદંડ. તેનાથી અટકવું તે અનર્થદંડવિરમણ વ્રત. તેમાં ખોટા વિચારો, પાપી કાર્યોનો ઉપદેશ, હિંસક શસ્ત્રો આપવા, પ્રમાદ આચરવો વગેરેનો ત્યાગ કરવો. ૪ શિક્ષાવ્રત - ૧) સામાયિકવ્રત - અમુક કાળ સુધી સર્વસાવદ્યયોગના દ્વિવિધત્રિવિધ પચ્ચખાણ કરવા તે સામાયિકવ્રત. ૨) દેશાવગાસિકવ્રત- ઓરડા, ઘર, ગામ, સીમા વગેરેમાં જવાના પરિમાણનો અભિગ્રહ કરવો તે દેશાવગાસિકવ્રત. Dિ દિશાપરિમાણવ્રત યાવજીવનું, ૧ વરસનું કે ૪ મહિનાનું હોય છે. દેશાવગાસિક વ્રત દરેક દિવસનું, દરેક પ્રહરનું કે દરેક મુહૂર્તનું હોય છે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy