SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ મહાવ્રતોની ૫-૫ ભાવનાઓ ૨૮૫ અંડિલ, માત્રુ વગેરે માટેના સ્થાનોની વારંવાર યાચના કરવી તે. (૩) એતાવદિત્યવગ્રહાલધારણ - આટલા ક્ષેત્રનો અવગ્રહ કરવો એવું નક્કી કરવું તે. (૪) સાધર્મિક પાસેથી અવગ્રહયાચન - મકાનમાં પૂર્વે રહેલા સાધુઓ પાસેથી અવગ્રહની યાચના કરવી તે. (૫) અનુજ્ઞાપિતપનભોજન - ગુરુની અનુજ્ઞા લઈને વાપરવું તે. ૪) બ્રહ્મચર્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ - (૧) સ્ત્રીપશુપંડકસંસક્તશયનાસનવર્જન - સ્ત્રી, પશુ, પંડકથી યુક્ત સ્થાનમાં સંથારો ન કરવો, બેસવું નહીં તે. (૨) રાગસંયુક્તસ્ત્રીકથાવર્જન - રાગવાળી સ્ત્રીકથા ન કરવી તે. (૩) સ્ત્રીમનોહરેક્રિયાલોકવર્જન - સ્ત્રીના સુંદર અંગોપાંગ ન જોવા. (૪) પૂર્વરતાનુસ્મરણવર્જન - પૂર્વે કરેલ કામક્રીડાનું સ્મરણ ન કરવું તે. (૫) પ્રણીતરસભોજનવર્જન - સ્નિગ્ધ, મધુર અને વિગઈવાળું ભોજન ન કરવું તે. ૫) અપરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવનાઓ - પાંચ ઇન્દ્રિયોના પાંચ અનુકૂળ વિષયોમાં રાગ ન કરવો અને પાંચ પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ ન કરવો તે. બધા મહાવ્રતોની સામાન્ય ભાવનાઓ - (સૂત્ર-૭/૪) ૧) હિંસાથી હિંસક હંમેશા ત્રાસકારી અને વૈરવાળો થાય છે. તે આ ભવમાં જ વધ, બંધન, ક્લેશ વગેરેને પામે છે અને પરભવમાં અશુભગતિને પામે છે અને ગહિત બને છે. માટે હિંસાથી અટકવું સારું.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy