SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા મહાવ્રતની પાંચ ભાવનાઓ ૨૮૩ (1) ભૂતનિદ્વવ - વિદ્યમાનનો અપલાપ કરવો તે ભૂતનિતવ, દા.ત. આત્મા નથી, પરલોક નથી. (ii) અભૂતઉદ્ભાવન - જે વિદ્યમાન ન હોય તેનું ઉદ્દભાવન કરવું તે અભૂતઉભાવન. દા.ત. આત્મા ચોખા પ્રમાણ છે, આત્મા અંગુઠાના પર્વ જેટલો છે, આત્મા સૂર્યવર્ણવાળો છે, આત્મા નિષ્ક્રિય છે વગેરે. (૨) અર્થાતર - એક વસ્તુને બીજારૂપે કહેવી તે. દા.ત. ગાયને ઘોડો કહેવું તે. (૩) ગહ - હિંસા, કઠોરતા, ચાડી વગેરે વાળુ વચન તે ગહ. ૩) ચોરી - પ્રમાદી જીવનું મન-વચન-કાયાના યોગથી નહીં દીધેલાનું કે બીજાએ ગ્રહણ કરેલાનું સ્વેચ્છાથી, હઠથી કે ચોરીથી ગ્રહણ કરવું કે ધારણ કરવું તે ચોરી. (સૂત્ર-૭/૧૦). ૪) અબ્રહ્મ - સ્ત્રી-પુરુષના યુગલનું કર્મ તે મૈથુન. તે મૈથુન એટલે અબ્રહ્મ. (સૂત્ર-૭/૧૧) ૫) પરિગ્રહ - સચેતન (એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવો) કે અચેતન બાહ્ય (વસ્તુઓ) કે અત્યંતર (આત્માના રાગાદિ પરિણામ) પદાર્થોમાં મૂચ્છ કરવી તે પરિગ્રહ. ઇચ્છા, પ્રાર્થના, કામ, અભિલાષ, કાંક્ષા, ગૃદ્ધિ, મૂચ્છ - આ પર્યાયવાચી શબ્દો છે. (સૂત્ર-૭/૧૨). • મહાવ્રતોની સ્થિરતા માટેની પ-૫ ભાવનાઓ - (સૂત્ર-૭/૩) ૧) અહિંસા મહાવ્રતની પાંચ ભાવનાઓ - (૧) ઈર્યાસમિતિ - લોકોથી ખુંદાયેલ અને પ્રકાશવાળા રસ્તે જીવોની રક્ષા માટે ગાડાની ધૂસરી જેટલી ભૂમિને જોઈને ઉપયોગપૂર્વક ચાલવું તે. (૨) મનગુતિ- આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન કરવા, ધર્મધ્યાનમાં ઉપયોગ રાખવો તે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy