SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ વૈમાનિક દેવોના લેશ્યા, ઈન્દ્રિયોના વિષય અને અવધિજ્ઞાનનો વિષય ૨૦૭ લાંતક અને ઉપરના દેવોનો વર્ણ શ્વેત છે. ઉપર ઉપરના દેવોના શરીરના વર્ણની વિશુદ્ધિ વધુ છે. ૫) લેશ્યા - (સૂત્ર-૪/૨૩) દેવલોક લેશ્યા સૌધર્મ-ઇશાન પીતલેશ્યા સનત્કુમાર-માહેન્દ્ર-બ્રહ્મલોક પદ્મલેશ્યા લાંતકથી સર્વાર્થસિદ્ધ શુક્લલેશ્યા ઉપર ઉપરના દેવોની લેશ્યા વધુ વિશુદ્ધ હોય છે. આ દ્રવ્યલેશ્યા જાણવી. વૈમાનિક દેવોને છએ ભાવલેશ્યા હોય છે. ૬) ઇન્દ્રિયોનો વિષય - ઉપર ઉપરના દેવોની ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને ગ્રહણ કરવામાં વધુ સમર્થ છે. ૭) અવધિજ્ઞાનનો વિષય - ઉપર ઉપરના દેવોનો અવધિજ્ઞાનનો વિષય વધુ છે. દેવલોક સૌધર્મ-ઇશાન નીચે રત્નપ્રભાના નીચેનાભાગસુધી સનત્કુમાર-માહેન્દ્ર શર્કરાપ્રભાના નીચેનાભાગસુધી અવધિજ્ઞાનનો વિષય ઉપર તીર્છ સ્વભવનનાસ્તૂપના અસંખ્યદ્વીપ-સમુદ્ર અગ્રભાગસુધી સ્વભવનનાસ્તૂપના અસંખ્યદ્વીપ-સમુદ્ર અગ્રભાગસુધી [] તત્ત્વાર્થાધિગમસૂત્રની શ્રીસિદ્ધસેનગણિ કૃત ટીકામાં ચારે પ્રકારના દેવોની લેશ્યાનો અર્થ ‘શરીરનો વર્ણ' એવો કર્યો છે. પણ બૃહત્સંગ્રહણીની ગાથા-૨૮૯ની ટીકામાં મલગિરિ મહારાજે લેશ્યાનો અર્થ ‘શરીરનો વર્ણ’ એવો કરનારા મતનું ખંડન કર્યું છે, કેમકે ત્યાં દેવોની લેશ્યા બતાવી પછી તેમના શરીરનો વર્ણ પણ બતાવ્યો છે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy