SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ મહાવિદેહક્ષેત્ર દેવકુરુ-ઉત્તરકુરની પહોળાઈ ૧૧,૮૪ર યોજન ૨ કળા છે. • મહાવિદેહક્ષેત્ર - મેરુપર્વતની પૂર્વમાં પૂર્વ મહાવિદેહક્ષેત્ર છે અને પશ્ચિમમાં પશ્ચિમ મહાવિદેહક્ષેત્ર છે. સીતા-સીતાદા નદીઓના કારણે આ બંને વિભાગના ઉત્તર-દક્ષિણ એમ બે-બે વિભાગ થાય છે. આ દરેક વિભાગમાં ૮ વિજય, ૪ વક્ષસ્કારપર્વત અને ૩ અંતરનદી છે. પહેલા વિજય આવે, પછી વક્ષસ્કારપર્વત આવે, પછી વિજય આવે, પછી અંતરનદી આવે. આ ક્રમે આગળ પણ જાણવું. મહાવિદેહક્ષેત્રમાં કુલ ૩૨ વિજય છે. ચક્રવર્તીને જીતવા યોગ્ય અને ભોગવવા યોગ્ય ક્ષેત્ર તે વિજય. સીતા નદી પૂર્વ સમુદ્રને મળે, ત્યાં તેના બંને કિનારે ૧-૧ વનમુખ છે. સીતાદા નદી પશ્ચિમ સમુદ્રને મળે, ત્યાં તેના બંને કિનારે ૧-૧ વનમુખ છે. સાધ્વીજી પાસે સાધુઓએ કાંઈપણ કામ કરાવવું નહીં, અને સાધુએ પોતાના કામો દા.ત. પાતરા રંગવા, સાંધવા વગેરે શીખી લેવા, જ્યાં સુધી ન શીખાય ત્યાં સુધી ઓઘા, ઠવણી જેવા અશક્ય કામો મુખ્ય સ્પર્ધકપતિઓએ સ્થાનિક પૌઢ શ્રાવક દ્વારા સાધ્વીજી પાસે કરાવી લેવા, પણ સાધુઓએ સાધ્વીના સંપર્કમાં આવવું નહીં. સામાન્ય સંયોગોમાં ૧૫ દિવસ પહેલા કાપ કાઢવો નહીં, સિવાય લૂણા, ઝોળી, ખેરીયુ જેવા કપડા. દેશના વ્યવહારપ્રધાન આપવી અને વ્યવહારમાં પ્રાણ પૂરવા માટે ભાવ સમજાવવો. • માણસ સ્વાથ્ય અવગણી પૈસા બનાવે છે, પછી સ્વાથ્ય સાચવવા તે પૈસા ખર્ચે છે. • જેને બદલી ન શકાય તેને સ્વીકારી લેવું જોઈએ. • ગુરુબહુમાનથી પરમગુરુનો સંયોગ થાય છે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy