________________
૩જી
૧૧૨
નરકમાં શીત-ઉષ્ણ વેદના • નરકમાં વેદના - (સૂત્ર-૩(૩)
નરકમૃથ્વી | વેદના ૧લી ઉષ્ણવેદના રજી
ઉષ્ણવેદના (તીવ્રતર) ઉષ્ણવેદના (તીવ્રતમ). ઉપરના ઘણા નરકાવાસોમાં ઉષ્ણવેદના, નીચેના
થોડા નરકાવાસોમાં શીતવેદના ૫મી ઉપરના ઘણા નરકાવાસોમાં શીતવેદના, નીચેના
થોડા નરકાવાસોમાં ઉષ્ણવેદના
શીતવેદના (તીવ્રતર) ૭મી | શીતવેદના (તીવ્રતમ)
ઉષ્ણવેદના - ભર ઉનાળામાં, પિત્તના પ્રકોપવાળા, ચારે બાજુ અગ્નિથી ઘેરાયેલા, છત્ર વિનાના મનુષ્યને બપોરે પવન વિનાના, વાદળ વિનાના આકાશમાં જેવું ઉષ્ણવેદનાનું દુઃખ હોય છે, તેના કરતાં અનંતગુણ ઉષ્ણવેદનાનું દુ:ખ ઉષ્ણવેદનાવાળી નરકોમાં નારકીઓને હોય છે.
જો તે નારકીને ત્યાંથી ઉપાડીને અહીં સળગતા અંગારાના મોટા ઢગલા ઉપર મૂકવામાં આવે તો તે તેને અત્યંત ઠંડા, મૂદુ પવનવાળા શીતળ છાંયડાની જેમ માની અનુપમ સુખ પામે અને ઊંઘી જાય.
શીતવેદના - બરફના કણિયાથી લેપાયેલા શરીરવાળા, અગ્નિઆશ્રય-વસ્ત્ર વિનાના મનુષ્યને પોષ-મહા મહિનાની કડકડતી ઠંડીવાળી