SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્યના બે પ્રકાર (૨) નિમિત્ત - દંડ, ચાબૂક, શસ્ત્ર, દોરડુ વગેરે. (૩) આહાર - અતિસ્નિગ્ધ કે ઘણું ખાવું. (૪) વેદના - શૂળ વગેરે. (૫) પરાઘાત - ખાડામાં પડવું વગેરે. (૬) સ્પર્શ - અગ્નિ, સર્પ વગેરેનો. (૭) શ્વાસોચ્છવાસ - શ્વાસોચ્છવાસ વધી જવા કે રુંધાવા. (i) નિરુપક્રમ આયુષ્ય - જે આયુષ્યને ઉપક્રમોનો સંપર્ક ન થાય તે નિરુપક્રમ આયુષ્ય. બીજી રીતે પણ આયુષ્ય બે પ્રકારનું છે ૧) અનાવર્તનીય આયુષ્ય - પૂર્વભવમાં બાંધેલા જે આયુષ્યની સ્થિતિ તેટલી જ રહે, ઓછી ન થાય તે અનપવર્તનીય આયુષ્ય. તે બે પ્રકારનું છે – સોપક્રમ અને નિરુપક્રમ. દેવો, નારકીઓ, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-પંચેન્દ્રિય તિર્યંચ, ચરમશરીરી, ઉત્તમ પુરુષો અનપવર્તનીય આયુષ્યવાળા જ હોય છે. (સૂત્ર-૨/પર) ચરમશરીરી એટલે જેઓ તે જ શરીર વડે મોક્ષમાં જાય છે. ઉત્તમ પુરુષો એટલે તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ વગેરે. અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો એટલે અકર્મભૂમિના, અંતરદ્વીપના, દેવગુરુ-ઉત્તરકુરુના, કર્મભૂમિમાં અવસપિણીના પહેલા-બીજા-ત્રીજા આરાના અને ઉત્સર્પિણીના ચોથા-પાંચમાછઠ્ઠા આરાના મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો. દેવો, નારકીઓ, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો નિરુપક્રમ આયુષ્યવાળા છે. ચરમશરીરી અને ઉત્તમ પુરુષો સોપમ આયુષ્યવાળા અને નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે. સોપક્રમ આયુષ્યવાળા તેમને ઉપક્રમોનો સંપર્ક
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy