SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪ ] અપ્રકટ હતા તેથી આધ્યાત્મવાદસ્વરૂપે, ઉપનિષના યુગમાં હૈયાત જ નહીં હાય એમ ન કહી શકાય; કારણ કે જે સમયે ચિતકા, સાધકે અથવા તપસ્વીઓ તત્ત્વની ચિંતામાં તલ્લીન હતા તે વખતે તેમણે ઉપનિષમાં વણુ વેલા માર્ગની જ શોધ કરી હાય એ અસભવિત છે. એ સમયે વિચાર અને ચિંતનની સૌ કોઇને સપૂણ સ્વતંત્રતા હતી અને પૂરેપૂરા વિચાર-સ્વાતંત્ર્યના પ્રતાપે અવૈદિક ઘણા માર્ગો અસ્તિત્વમાં આવ્યા હતા. ખીજા મતવાદ કરતાં ઉપનિષમાં એવી કોઇ વિશેષતા નથી કે જેથી ઉપનિષદ્ન આપણે પહેલા નંબર આપી દઇએ. હવે જો વૈશ્વિક અને અવૈશ્વિક મતવાદ્ય એક જ સમયને વિષે ઉદ્ભવ્યા હાય, ઉત્તરાત્તર ઉત્કર્ષ પામ્યા હાય તે। એ મધામાં ઘણી ઘણી વાતાની સમાનતા હાવી જોઈએ. એ વિષય ઘણા મહત્ત્વના છે અને એટલા જ માટે ભારતવના કોઈ એક ખાસ દનના અભ્યાસ કરવા હાય તા અન્યાન્ય ભારતવર્ષીય પ્રસિદ્ધ દનની તુલના કરવી જોઇએ, એ બહુ યુક્તિસંગત ગણાય છે. સામાન્યતઃ ભારતવના દાનિક મતવાદમાં જૈન દર્શન સારૂ માનવ ંતુ સ્થાન ભાગવે છે અને ખાસ કરીને જૈન દશન એક સંપૂર્ણ` દર્શીન છે. તત્ત્વવિદ્યાના બધા અંગ એમાં મળે છે. વેદાતમાં તર્ક વિદ્યાના ઉપદેશ નથી, વૈશેષિક કર્માંકમ અને ધર્માંધ વિષે કઇં ફાડ પાડતું નથી. જૈન દશનમાં તેા ન્યાયવિદ્યા છે, તત્ત્વવિચાર છે, ધર્મનીતિ છે, પરમાત્મ તત્ત્વ છે અને બીજું પણ ઘણુ છે. પ્રાચીન યુગના તત્ત્વચિંતનનું ખરેખર જ જો કાઇ એક અમૂલ્ય મૂળ હાય તા તે જૈન દર્શન છે. જૈન દર્શનને બાદ કરીને જો તમે ભારતીય દનની આલેાચના કરી તેા તે અપૂણું જ રહી જવાની.
SR No.022518
Book TitleBharatiya Darshanoma Jain Darshanu Sthan
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya
PublisherPopatlal Sakalchand Shah
Publication Year1989
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy