SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬ ] સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે, પણ જૈન દર્શન જગતના દાર્શનિક તને એક સમૃદ્ધ ભંડાર છે એમ કહું તે ચાલે. આ જેના દર્શનમાં તકદિ તત્ત્વની છટાદાર આલેચના મળે છે. એ સંબંધે ન્યાય દર્શન અને જૈન દર્શન વચ્ચે ઘણું મળતાપણું છે; પરન્તુ એટલા ઉપરથી જે કેઇ એમ માને કે ન્યાયદર્શનને અભ્યાસ કર્યા પછી જૈનદર્શનને અભ્યાસ કરવાની કઈ જરૂર નથી તે તે છેતરાશે. કારણ કે જેનદર્શન અને ન્યાયદર્શન વચ્ચે સમાનતા હોવા છતાં બન્ને વચ્ચે કેટલેક ભેદ છે. સ્યાદ્વાદ અથવા સપ્તભંગી નય નામે જૈનદર્શનમાં જે સુવિખ્યાત યુક્તિવાદની અવતારણ જેવામાં આવે છે તે તે ગૌતમ દર્શનમાં પણ નથી. એ યુક્તિવાદ જેનેને પિતાને જ અને એમના ગૌરવને દીપાવે એવો છે. ભારતીય દર્શનેમાં જૈન દર્શનને કેટલું ઉચ્ચ સ્થાન છે તે એટલા પરથી સમજાશે. કેટલાકેએ જૈનદર્શનને બૌદ્ધદર્શન જેવું જ માની લીધું હતું. લૅસેન અને વેબરે એવી ભૂલ કરી હતી. ઈ. સ. ના સાતમા સૈકામાં હયુએનસંગે પણ એમજ માની લીધેલું. જે કેબી અને બલરે એ ભૂલ ભાગી. એમણે જૈનધર્મને સ્વતંત્ર જાહેર કર્યો એટલું જ નહીં પણ બુદ્ધની પૂર્વે પણ એ હતું એમ પુરવાર કર્યું. હું અહીં પુરાતત્ત્વ સંબંધી વિષયની ચર્ચા કરવા નથી માગતે. મેં ઉપર જ કહી દીધું છે કે બૌદ્ધ અને જૈન ધર્મના જેમને પ્રવર્તકે માનવામાં આવે છે તેમની પૂર્વે–ઘણા વખત પહેલાં, બૌદ્ધ અને જૈન હૈયાત હતા. બૌદ્ધમતને બુધે ઉપજાવ્યું નથી તેમ જૈનધર્મને મહાવીરે કઈ પહેલવહેલે પ્રવર્તાવ્યો નથી. જે વિરોધમાંથી ઉપનિષદ્ ઉપજ્યાં તે જ વિરોધમાંથી–વેદશાસન અને કર્મકાંડની વિરૂદ્ધ, જૈન અને બૌદ્ધ બહાર આવ્યા. હયુએનસંગે શા સારૂ જૈનધર્મને બૌદ્ધધર્મની અંદરને ગયે તે એટલા જ
SR No.022518
Book TitleBharatiya Darshanoma Jain Darshanu Sthan
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya
PublisherPopatlal Sakalchand Shah
Publication Year1989
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy