________________
Bill
પ્રથમ આવૃત્તિનું | પ્રકાશકનું નિવેદન
iliiiiiiiiiiiiiiiiii
Dailయయమయమయమయ
પૂજ્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજ એક મહાન સંગ્રાહક હતા. જેમને માટે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે સિદ્ધહેમશબ્દાનુશાસનની બ્રહવૃત્તિમાં ૩છેડનૂન | ૨ | ૨ | રૂ૫ / એ સૂત્રની વૃત્તિમાં “પોમાસ્વાતિ હીતા:' એ પ્રમાણે ઉદાહરણ મૂકી સર્વોત્કૃષ્ટ સંગ્રાહક તરીકે કહ્યા છે. તેઓશ્રીનું રચેલ આ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર છે. આ સૂત્રોમાં તેઓશ્રીના કથન પ્રમાણે-જિનવચનનો એક દેશ અર્થાત્ અંશમાત્ર જિનવચન સંગ્રહ્યું છે. “તત્ત્વાર્થfધમારä વહ્યર્થસ૬ નપુwળ્યું: વક્ષ્યામિ શિષ્યતિમિ-મર્જરનૈશશ્ય ' અને એ તેમનું કથન યથાર્થ છે. હજારો હાથી પ્રમાણ મશીથી લખી શકાય તેવા ચૌદપૂર્વોની અપેક્ષાએ આ ગ્રન્થ અંશ માત્ર જ કહી શકાય. છતાં અત્યારની દૃષ્ટિએ જોવામાં આવે તો જિનતત્ત્વોનો લગભગ ૬ પરિપૂર્ણ સંગ્રહ આ ગ્રંથમાં છે. અહંદ્ર્શનની સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વ E સંબંધી વિચારણા આમાં ગૂંથી છે. કોઈપણ ઉપયુક્ત વિષય રહી ગયો હોય - છૂટી ગયો હોય એવું બન્યું નથી. એટલે અત્યારના અભ્યાસીને આ એકજ ગ્રન્થ સાંગોપાંગ અદ્ર્શનના તત્ત્વોનું જ્ઞાન કરાવવાને સમર્થ છે.
આ સૂત્ર ઉપર ભાષ્ય-ટીકા-વિવરણો વગેરે પુષ્કળ પ્રમાણમાં સાહિત્ય રચાયું છે.
આ ગ્રન્થના અધ્યયન-અધ્યાપન અને ફેલાવા માટે જેટલું કરવામાં આવે તેટલું ઓછું છે.
આ સૂત્રના અર્થો ગુજરાતી ભાષાને જાણનારા બાળજીવોને સમજાય અને સહેલાઈથી યાદ કરી શકાય તેવો હરિગીત છન્દમાં ભાવવાહી પદ્યાનુવાદ પૂ. મુનિ મહારાજશ્રી રામવિજયજી મહારાજે બનાવ્યો છે.