SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ તત્વાર્થાધિગમસૂત્ર સર્વે દિશાથી સંગ્રહીને, સર્વે પ્રદેશે જોડતા, ત્રણ યોગના તરતમપણાથી, જાણીએ વિશેષતા. (૧૭) જે નભ પ્રદેશે રહ્યો ચેતન ત્યાંથી જ ખેંચે કર્મને, અસ્થિર કર્મગ્રહે નહિં, સ્થિર ગ્રહે, સમજો મર્મને; આત્મા તણા સર્વે પ્રદેશે, કર્મના પુદ્ગલ ભર્યા, તે સર્વ કર્મો છે અનન્તા-નન્તપુદ્ગલથી બન્યાં. (૧૮) સુખરૂપ શાતા વેદનીયને, મોહની સમકિત કરી, હાસ્ય રતિને પુરુષ નામે, વેદ સાત્ત્વિક સ્થિતિ ભલી; શુભ આયુ જાણો શુભ ગતિનું, નામ ગોત્ર કહ્યાં ભલાં, એ સર્વ પ્રકૃતિ પુણ્યની, તત્ત્વાર્થથી લ્યો નિર્મળા. (૧૬) પહેલી ત્રણ અને છેલ્લી ચાર એ દરેક પ્રકૃતિની ત્રીશ કોટાકોટી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. છઠ્ઠી અને સાતમી એ બે પ્રકૃતિની દરેકની વીશ કોટાકોટી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ચોથા મોહનીય કર્મની સીત્તેર કોટાકોટી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. પાંચમા આયુષ્યકર્મની તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. વેદનીયની બાર મુહૂર્ત, નામ અને ગોત્ર એ બેની દરેકની આઠ મુહૂર્ત અને બાકીની પાંચ પ્રકૃતિ એ દરેકની અંતર્મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે. કર્મના વિપાક-ફળનો અનુભવ તે અનુભાવ-વિપાક છે. એ અનુભાવકર્મની મૂળ અને ઉત્તરપ્રકૃતિના નામ અનુસાર થાય છે. હસતાં કે રોતાં કરેલા કર્મ ભોગવવા પડે છે. જેમ જેમ કર્મ ભોગવાય છે તેમ તેમ તે ખપે છે - નાશ પામે છે. તે નિર્જરા કહેવાય છે. સર્વ કર્મ અથવા નામકર્મના નિમિત્તવશ આત્મા સર્વ દિશાથી પણ પોતાની સમીપ રહેલા, યોગ બળની તરતમતાએ તરતમ એક જ ક્ષેત્રમાં અવગાહી રહેલા અનંતાનંત પ્રદેશમાં સૂક્ષ્મ કર્મસ્કંધો, સર્વ
SR No.022515
Book TitleTattvarthadhigam Sutram
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRamvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
PublisherDhurandharsuri Samadhi Mandir
Publication Year2001
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy