________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૮૯ દેહના સ્પર્શ પ્રાપ્ત કરાવનાર કર્મ તે સ્પર્શનામ છે. (૧૩) (દવ, મનુષ્ય, તિર્યંચ અને નારક એ) પરભવની ચાર ગતિમાં દોરનાર કર્મતે આનુપૂર્વનામ કર્મ છે. અને (૧૪) (શુભ અને અશુભ એ) બે પ્રકારે ગમનાગમન કરાવનાર કર્મ તે વિહાયોગતિનામ કર્મ છે. આમ ચૌદ પિંડ પ્રકૃતિના પાંસઠ ભેદ થાય છે. (૧) દર્શન કે વાણીથી પ્રભાવ પાડનાર પરાધાત નામકર્મ છે. (૨) ચોરદાંત, રસોલી આદિ ઉપઘાતકારી અવયવો પ્રાપ્ત કરાવનાર ઉપઘાત નામકર્મ છે. (૩) શ્વાસોશ્વાસને નિયંત્રિત કરનાર તે શ્વાસોશ્વાસ નામકર્મ છે. (૪) તેના યથોચિત સ્થળે શારીરિક અંગો-પાંગ વ્યવસ્થિત કરનાર નિર્માણ નામકર્મ છે. (૫) અનુષ્ણ શરીરમાં ઉષ્ણ પ્રકાશનું નિયામક તે આતપનામ કર્મ છે. (૬) અનુષ્ણ શરીરમાં શીતપ્રકાશનું નિયામક તે ઉદ્યોનામ કર્મ છે. (૭) શરીરને ગુરુ નહિ તેમજ લઘુ નહિ તે પ્રકારનું પરિણામ કરનાર અગુરુલઘુ નામકર્મ છે. (૮) ધર્મતીર્થ પ્રવર્તાવવાની શક્તિનું નિયામક તે તીર્થકર નામ કર્મ છે. આઠ પ્રત્યેક પ્રકૃતિ છે; તેના અવાંતર ભેદો નથી. હવે ત્રસદશક અને સ્થાવરદશકનું સ્વરૂપ દર્શાવાય છે. ત્રાસ દૂર કરવા સ્વતંત્ર રીતે ગમનાગમન કરાવનાર શક્તિ તે ત્રસના કર્મ છે.
આવી ગમનાગમન શક્તિનો અભાવ તે સ્થાવર નામ કર્મ છે. ઇન્દ્રિયગોચર સ્કૂલ શરીર પ્રાપ્ત કરાવનાર બાદરનામ કર્મ છે. ઇંદ્રિયને અગોચર સ્કૂલ શરીર પ્રાપ્ત કરાવનાર સૂક્ષ્મ નામ કર્મ છે. પોતાને યોગય પર્યાપ્તિ પૂરી કરવાનું નિમિત્ત તે પર્યાપ્ત નામ કર્યુ છે. પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી ન કરવાનું નિમિત્ત અપર્યાપ્ત નામ કર્મ છે. પૃથક-જાદું શરીર પ્રાપ્ત કરાવનાર પ્રત્યેક નામ કર્મ છે. અનંત જીવોનું એક શરીર પ્રાપ્ત કરાવનાર સાધારણ