________________
૧૨૫
તત્વાર્થાધિગમસૂત્ર બંધનું સ્વરૂપ, દ્રવ્યની વ્યાખ્યા અને કાળ : સૂત્ર - શિક્ષવાદ રૂર
न जधन्यगुणानाम् ॥३३॥ गुणसाम्ये सदृशानाम् ॥३४॥ द्वयधिकादिगुणानां तु ॥३५॥ बन्धे समाधिको पारिणामिकौ ॥३६॥ गुणपर्यायवद्रव्यम् ॥३७॥ વનિત્યે રૂટ
सोऽनन्तसमयः ॥३९॥ અનુવાદ : સ્નિગ્ધ ને રુક્ષપણાનો, બંધ પુદ્ગલનો કહ્યો,
જઘન્ય ગુણથી તે ઉભયનો, બંધ તે વળી નવિ ગ્રહો; સ્નિગ્ધ સાથે સ્નિગ્ધ મળતાં, રુક્ષ સાથે રુક્ષતા, બંધ ન લહે પુદ્ગલો તે, સૂત્ર કહે એમ પૂછતા, (૧૧) બે અધિક ગુણ અંશ વધતા, બંધ પુદ્ગલ પામતા, સમ અધિક પરિણામ પામે, અંશ ન્યૂનાધિકતા; ગુણ અને પર્યાયવાળું, દ્રવ્ય જિનવર કહે સદા, કાળને કોઈ દ્રવ્ય કહે છે, અનંત સમયી સર્વદા. (૧૨)
અર્થ : પુગલના સ્નિગ્ધત્વ અને રુક્ષત્વનો બંધ કહ્યો છે. જઘન્ય ગુણમાં તે બેનો બંધ થતો નથી. સ્નિગ્ધનો નિગ્ધ સાથે અને રુક્ષનો રુક્ષ સાથે અર્થાત્ સદશ બંધ સમાન ગુણે થતો નથી. બે કે તેથી અધિક ગુણ બંધ વખતે સમ અને અધિક ગુણને પોતાનામાં પરિણામ પમાડે છે. ગુણ અને પર્યાયયુક્ત હોય તેને જિનવર દ્રવ્ય કહે છે. કેટલાક આચાર્ય કાળને પણ દ્રવ્ય ગણે છે; જે અનંતસમયી છે.----
ભાવાર્થ : પરમાણ, પ્રદેશ યા અવયવ આદિના પરસ્પર