SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ છે. એક ચેાખાભાર રેડિયમ ત્રીશ લાખ ચેાખાભાર યુરેનિયમમાંથી પ્રાપ્ત થાય છે. યુરેનિયમના એક પરમાણુને રૅડિયમરૂપે પરિણત થવામાં સાત અબ્જે પચાસ કરોડ વર્ષ લાગે છે, એમ વૈજ્ઞાનિકાનું અનુમાન છે. એ રેડિયમથી નાસુર વગેરે રાગને નાશ થાય છે. વિજળીથી પણ જે દર્દી નાખ઼ુદ થતાં નથી તેવા રાગાને નાબુદ કરવામાં રેડિયમ કિતમાન બને છે. આ રેડિયમ નામની ધાતુ દુનિયામાં બહુ થાડા પ્રમાણમાં મળી શકી છે. એક તાલા રેડિયમની કિંમત ૨૩ લાખ રૂપીયા લાગે છે. જ્યારે રેડિયમના એક પરમાણુને બનવા માટે ત્રીશ લાખ ગણું યુરેનિયમ જોઇએ, તેને પણ રેડિયમ રૂપે પરિણમવા માટે સાત અક્જ ને પચાસ કરાડ વરસ જોઇએ, ત્યારે એક રતિભાર કે તેાલાભાર રેડિયમ તૈયાર થવા માટે કેટલું યુરેનિયમ જોઇએ અને તેને રેડિયમ બનવા માટે કેટલાં બધાં વરસેા જોઈએ? ૩૩૭ (ગંગા વિજ્ઞાન અંક ઃ પ્રવાહ ૪, તર`ગ ૧. લેખક–શ્રીયુત અનંતગેાપાલ ઝિગરન એમ. એસ. સી.) આઈનસ્ટાઈનના સાપેક્ષવાદ. પૃથ્વીની પ્રાચીનતા વિષે સૌથી વધારે આશ્ચર્યજનક વાત આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદમાંથી મળે છે. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદે વૈજ્ઞાનિક સંસારમાં અવનવી ખળભળ મચાવી દીધી છે. ઇ. સ. ૧૯૧૯માં લગભગ બધાં સમાચારપત્રામાં સાપેક્ષવાદની પ્રામાણિકતાના લેખેા છપાઈ રહ્યા હતા. એ સાપેક્ષવાદ કહે છે કે પદા અને શક્તિ મૂળે એકજ છે. એક શેર ગરમીની વાત કરવી તે એક શેર લેાઢાની વાત કરવા બરાબર છે. એક શેર ગરમીની શક્તિ સવા અબજ મણુ પત્થરને પિગળાવી દેવાને સમર્થ છે.” કદાચ સૂર્યની ગરમી આ સિદ્ધાંતને અનુસરી પદાર્થીને ક્ષય અને તેને સ્થાને શક્તિ પ્રગટ કરવામાં એછી થતી હાય તે। દૃશ ખવ વર્ષીમાં કેવલ એક શેર પાછળ અડધી રિત ગરમી ઓછી થઈ સર
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy