________________
જિનેવર ભગવંતનાં આગમશાસ્ત્રોમાં કહ્યું છે. સાદિક એટલે પ્રારંભ. શરૂઆત. અને અનન્ત. અર્થાત અંત વિનાની અર્થાત એક વાર મિક્ષ જે ને પ્રાપ્ત કર્યો જેની આદિ- શરૂઆત થઈ ત્યાર પછી કરે તે સિદ્ધાત્માને અન્ન નથી આવતું. અનન્ત કાળે પણ તેને અન્ય નથી આવે છે. કારણુ, ત્યાં કોઈ કર્મબંધ તે છે જ નહિ. ' શું મેક્ષે ગયા પછી જ પાછા આવે ?
જેમ હિન્દુ ધર્મશાસ્ત્રમાં અવતારવાદ બતાવવામાં આવ્યું છે. કહ્યું છે કે, ભગવાન ફરી ફરી અવતાર લે છે. પાછા આવીને જન્મ લે છે અને લીલા કરે છે, ઈત્યાદિ. આ વિચારધારા જિનેવરના શાસનમાં નથી. “મપુનરાવૃત્તિ”
જ્યાં ગયા પછી ફરી નથી આવવાનું તે મેક્ષ છે. न पुणेो तस्स पसूई बीया भावादि कुरस्सेव । ' बीय च तस्स कम्म न य तस्स तय तओ निच्चा ॥
- મંદિકને સમજાવતાં શ્રી વીર પરમાત્માએ કહ્યું, હે. મંડિક ! મેક્ષે ગયા પછી જીવનું પુનરાગમન- ફરી આવવાપણું રહેતું નથી. કારણ, બીજ ને જ અભાવ છે. જેમ બીજ બળી ગયું હોય, દાઝી ગયું હોય પછી હવે તેમાંથી અંકુર ન ફૂટે બીજ ઉગે નહીં. તેમાંથી ઝાડ ન થાય. તે જ પ્રમાણે આત્માને આ સંસારમાં પરિભ્રમણ કરાવનાર જે કર્મો હતા તે જ બીજ તરીકે હતા. તેના જ કારણે જીવ ના જન્મ મરણ, એક ગતિમાંથી બીજી ગતિમાં ગમનાગમન થતું હતું સુખ દુખ મળતું. પરંતુ હવે આ કઈ વાતની સંભાવના જ નથી. કારણ, બીજના જ અભાવમાં અંકૂર ક્યાંથી ફૂટે? એ જ પ્રમાણે
૫૨