________________
सूत्र - ३१-३२-३३-३४, षष्ठ किरणे
३१९
વિવેચન – શ્રી અરિહંત ભગવંતકથિત આજ્ઞાના ઉલ્લંઘનપૂર્વક પોતાની મનઘડંત બુદ્ધિથી જીવ આદિ પદાર્થોનું નિરૂપણ, અથવા જીવને કે અજીવને પાપવાળા કાર્યોમાં આજ્ઞા ફરમાવવી, તે “આજ્ઞાાનિકી' ક્રિયા કહેવાય છે.
લક્ષણ-શ્રી અરિહંત ભગવંતરચિત શાસ્ત્રની આજ્ઞાથી નિરપેક્ષ-સ્વતંત્રતાજન્ય પદાર્થનિરૂપણ અથવા જીવ-અજીવવિષયક સાવદ્ય (સપાપ) આજ્ઞાપન રૂપ ક્રિયાપણું, આ પ્રસ્તુત ક્રિયાનું લક્ષણ છે. આ ક્રિયાનું બીજું નામ નયનક્રિયા અને આનયનિકી છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે.
પ્રથમ પક્ષમાં પ્રથમ એટલે (નિરૂપણમાં) નયનક્રિયા છે, જ્યારે બીજા પક્ષમાં “આજ્ઞાપન આનયન કહેવાય છે.
विदारणिकीमाहपराऽऽचरिताप्रकाशनीयसावधप्रकाशकरणं विदारणिकी । ३३ ।
पराऽऽचरितेति । परैराचरितानामप्रकाशनीयानां सावद्यानां प्रकाशकरणमित्यर्थः । जीवानामसद्भिर्गुणैरीदृशस्त्वं तादृशस्त्वमित्येवं वर्णनं, अजीवानां वेदृशमेतदिति प्रतारणबुद्ध्या भणनमित्यपि विदारणिकी । षष्ठगुणस्थानं यावदसौ ॥
વિદારણિકી ક્રિયાનું લક્ષણભાવાર્થ – ‘પર આચરિત અપ્રકાશનીય સાવદ્યના પ્રકાશ કરવા રૂપ ક્રિયા, તે “વિદારણિકી.”
વિવેચન - બીજા જીવોએ કરેલ નહિ પ્રકાશ કરવાલાયક કુકર્મોનો (પાપવાળા કર્મોનો) પ્રકાશ કરવો, તે ‘વિદારણિકી ક્રિયા.” જીવોના અછતા દોષોને પ્રકાશ કરી, અર્થાત્ “તું આવો છે-તું તેવો છે. આ પ્રમાણેનું કથન કરી તેની પ્રતિષ્ઠાનો નાશ કરવો, તે “વિદારણિકી.” અથવા અજીવોના વિષયોમાં “આ આવું છે'આવી ઠગવાની બુદ્ધિથી અછતું કહેવું, તે અવતારણિકી.” અર્થાત્ જીવ-અજીવ સંબંધી વિદારણિકી અથવા જીવ-અજીવ સંબંધી વિતારણિકી કહેવાય છે. આ ક્રિયા છઠ્ઠા (દશમ) ગુણસ્થાનક સુધી છે.
अनाभोगप्रत्ययिकी निरूपयतिअनवेक्षितासंमार्जितप्रदेशे शरीरोपकरणनिक्षेपोऽनाभोगप्रत्ययिकी ।३४।
अनवेक्षितेति । अनवलोकिते रजोहरणेनाप्रमाणिते देशे शरीराणां गमनागमनोल्लङ्घनादिभिरुपकरणानामुपध्यादीनाञ्च निक्षेपणं स्थापनमित्यर्थः । आभोग उपयोगस्तद्विपरीतोऽनाभोगस्तेनोपलक्षिता क्रियाऽप्यनाभोगा न विद्यते वाऽऽभोगो यस्यां सा अनाभोगा क्रिया, आद्वादशमसौ ॥