________________
૭૪
तत्त्वन्यायविभाकरे
सुखग्रहणहेतुत्वात्, विमानभवनप्रस्तारादिभावपरिणामेन स्थूलमूर्त्तित्वात्प्रतिनियतजलाधुपकारनिर्वर्तकत्वाच्चादौ पृथिव्याः, तदुपकारकत्वाद्वायोः, पृथिव्यादिनिमित्तकत्वादनन्तगुणत्वाच्च वनस्पतेः, इन्द्रियाधिक्यादुपयोगबाहुल्याच्च त्रसस्य ग्रहणम् । इत्थमेव बहुधा विभागस्सम्भवतीत्याहेत्येवमिति, इत्येवंक्रमेणेत्यर्थः । ननु विभागानां परावधिरस्ति नवेत्याशङ्कायामवधिमाह विस्तरत इति, सप्तविधनारकाणां चतुर्विंशतिविधतिरश्चामेकोत्तरशतविधगर्भजमनुष्याणां नवाधिकनवतिविधदेवानां प्रत्येकं पर्याप्तापर्याप्तभेदभाजामपर्याप्तैकोत्तरशतविधसंमूर्छिममनुष्याणाञ्च मेलनया त्रिषष्ठ्यधिकपञ्चशतविधोऽपीत्यर्थः, विज्ञेय इति आगमादित्यादिः ।।
હવે જીવના છ પ્રકારો ભાવાર્થ. “પૃથ્વી-અ, (જલ)-તેજસ (અગ્નિ)-વાયુ-વનસ્પતિ-ત્રસના ભેદથી સંસારી જીવ છે પ્રકારનો છે.”
| વિવેચન-સ્થાવરનામકર્મના ઉદયથી અને ત્રસનામકર્મના ઉદયથી પેદા થયેલ પૃથ્વી-અપ-તેજસ-વાયુવનસ્પતિ-ત્રસ અર્થાત્ પૃથ્વીત્વપર્યાય પરિણામવાળા અગ્નિકાયિક જીવો, વાયુત્વપર્યાય પરિણામને ભજનારા વાયુકાયિક જીવો, વનસ્પતિ–પર્યાય પરિણામને ભજનારા વનસ્પતિકાયિક જીવો અને ત્રસ–પર્યાય પરિણામવાળા જીવો ત્રસકાયિક જીવો કહેવાય છે. આ પ્રમાણે છ ભેટવાળા જીવો છે.
છ પ્રકારના જીવોના ક્રમોપન્યાસના હેતુઓ (૧) જો પૃથ્વી હોય, તો જ ઘટ આદિથી જલ આદિ સુખપૂર્વક લઈ શકાય છે. આ પ્રમાણે સુખપૂર્વક ગ્રહણનો હેતુ હોઈ “પૃથ્વી પર પહેલાં મૂકેલ છે. વિમાન-ભવન-પ્રસ્તાર આદિ ભાવપરિણામ હોઈ, સ્કૂલ હોવાથી અને પ્રતિનિયત જલ આદિ પ્રત્યે ઉપકારકારક હોવાથી પહેલાં “પૃથ્વી પર મૂકેલ છે.
(૨) પૃથ્વીનો વિરોધી અગ્નિ છે. એ બંને વચ્ચે વ્યવધાન કરનાર હોવાથી અને રહેનાર હોવાથી પૃથ્વી પદ પછી “જલ' પદ મૂકેલ છે.
(૩) પૃથ્વી અને પાણીના પરિપાકમાં હેતુ હોવાથી પૃથ્વી-જલ પછી 'તેજસ' પદ મૂકેલ છે. (૪) અગ્નિ પ્રત્યે વાયુ ઉપકારક હોવાથી તેજસ પછી ‘વાયુ પદનું ગુંફન છે.
(૫) પૃથ્વી-જલ વગેરેનું નિમિત્ત લઈ પેદા થનાર હોવાથી અને પૃથ્વી આદિથી અનંતગુણી હોવાથી, પૃથ્વી-જલ-તેજસ્-વાયુ પછી “વનસ્પતિ પદ મૂકેલ છે.
(૬) ઇન્દ્રિયોની અધિકતા હોવાથી અને સર્વ ઉપયોગના સંભવ રૂપ ઉપયોગની બહુલતા હોવાથી સ્થાવર પછી ત્રસ' પદનું ગ્રંથન કરેલ છે.
આ પ્રમાણે ઘણા ઘણા પ્રકારનો જીવનો વિભાગ સંભવિત છે. માટે કહે છે કે
શંકા- આવા પ્રકારના ક્રમથી જીવના પ્રકારોના વિભાગોની ઉત્કૃષ્ટ અવધિ ખરી કે નહિ ?