SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩૫ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ ૩૦૭ કોઈ કહે છે કે આ વાક્યો નૈગમ વગેરે નયના લક્ષણ વાચક (નિમેષ વેfમહિતા: વગેરે) સૂત્રો છે, (ભાષ્ય નથી.) તે બરોબર નથી. કેમકે તેમના ઉપર કોઈ વૃત્તિ લખાયેલી નથી. આથી તે નય લક્ષણને જણાવનારા વાક્યો જ છે. નયના અર્થનય-શબ્દનય એવા બે વિભાગ નયોનું લક્ષણ કર્યું. આ નયોમાં પહેલા ચાર નયો અર્થનો છે. કેમકે તેમાં અર્થની પ્રધાનતા છે અને શબ્દો ગૌણ છે. બાકીના નયો શબ્દનો છે. કેમકે તેમાં શબ્દની પ્રધાનતા છે અને અર્થ ગૌણ છે. ગત્રાઈ ફત્યાદિ આ અવસરે યથોક્ત નિયોનું સ્વરૂપ જેણે જાણ્યું છે એવો પ્રશ્નકાર કહે છે- આપે લક્ષણથી નૈગમાદિ નયો કહ્યા, અર્થાત્ આપે નિંગમાદિ નયોનું લક્ષણ કહ્યું, “તમયા તિ : પાર્થ” તિ, તે નયો શો પદાર્થ છે? તનયા(=સ્તે જનયાતિ તત્રયા) એ લૌકિકવચન છે. જેમકે, ( ૨ રીના વેતિ તીખા) જેવી રીતે સ વ ાના વેતિ તત્રીના એવા વિગ્રહથી તાના પ્રયોગ બન્યો, તે રીતે તત્રયા પ્રયોગ બન્યો છે. તે રાજા કેવો છે? અહીં નય શબ્દથી શબ્દનયોનું ગ્રહણ કરવામાં આવે છે. જ્યારે એમ કહેવામાં(=પૂછવામાં) આવે કે નય શબ્દનો પદાર્થ શો છે? ત્યારે નયના પદાર્થનો બોધ થાય છે. પ્રશ્ન– અહીં ફોર્થ ? એમ ન કહેતાં પ૦ શબ્દને ઉમેરીને : પાર્થ ? એમ કેમ કહ્યું? ઉત્તર– શબ્દના ગમ્ય અને વાચ્ય એમ બે પ્રકારના અર્થ છે. જેમકે ગુડ શબ્દનો વાચ્ય અર્થ ગોળ છે. મધુરતા વગેરે ગમ્યાર્થ છે. અહીં ગમાર્થને દૂર કરીને વાચ્યાર્થીનો સંગ્રહ કરવા માટે પાર્થઃ એમ કહ્યું છે. એથી : પાર્થ એટલે વાચ્યાર્થ શો છે? એવો અર્થ થાય. કારક અનેક હોવાથી નિશ્ચિત(=ચોક્કસ) અર્થ કયો લેવો એવો સંશય પ્રશ્નનું કારણ છે. આ પ્રમાણે પ્રશ્નકારે પ્રશ્ન કર્યો એટલે આચાર્યભગવંત
SR No.022485
Book TitleTattvarthadhigam Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages410
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy