SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ 11 શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ * સંપાદકની સંવેદના * સિદ્ધાંત મહોદધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના ગુરુકુલવાસમાં વસીને સિદ્ધહસ્ત ભાવાનુવાદકાર પરમ સંવેગી પૂજ્યપાદ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મહારાજાએ પપ વર્ષના નિર્મળ સંયમની ક્ષણોને સંયમ, સ્વાધ્યાય અને ગુરુસમર્પણભાવની પવિત્ર ગંગોત્રીમાં અવગાહન કરતાં લગભગ આઠ વર્ષના અલ્પ ચારિત્ર પર્યાયે તો અત્યંત કઠીન ગણાતા પએસબંધો’ નામના કર્મગ્રંથ વિષયક ગ્રંથરત્નની ટીકા રચી. ત્યારથી પ્રારંભાયેલી પૂજયશ્રીની સાહિત્યયાત્રા અવિરત ચાલતી રહી. અત્યંત નાજુક નાદુરસ્તી વચ્ચે પણ આંતરિક મજબૂત લોખંડી મનોબળના કારણે આત્માને તંદુરસ્ત બનાવે તેવા કેટલાય ગ્રંથરત્નોના ભાવાનુવાદ, લેખન, સંપાદન, સંકલન કર્યા. સાહિત્યયાત્રાનું અંતિમ માઇલસ્ટોન કહીએ તો પ્રસ્તુત “તત્ત્વાર્થાધિગમ સૂત્ર' આ ગ્રંથ સાથે અનેક ઘટનાઓ સંકળાયેલી છે. “શ્રેયાં િવવિજ્ઞાનિ મહતામપિ ગાયતે” આ ઉક્તિ આ સર્જનમાં સાર્થક નીવડી છે. પ્રેસર (ઉંચું લોહીનું દબાણ)ની તકલીફ વધતાં તેની અસર પૂજ્યશ્રીની ચક્ષુ ઉપર થઇ. તાત્કાલિક ઉપાયો કરાવવા છતાં એક આંખે લગભગ દૃષ્ટિ જતી રહી. એક આંખથી પણ કામ ચાલું રહ્યું. તેમાં ભીવંડીના ચાતુર્માસ દરમિયાન બીજી આંખમાં મોતીયો ઉતરાવ્યો. લેન્સ જે નંબરનો હોવો જોઈએ તેના કરતાં જૂદો બેસાડ્યો. પરિણામે બીજી આંખે પણ લગભગ દેખાવાનું બંધ જેવું થયું. આ દરમિયાન તત્ત્વાર્થાધિગમ સૂત્રનો ભાવાનુવાદ ચાલુ હતો. મુંબઇમાં ડૉ. સુજલ શાહ કે જેઓ પ્રભુશાસનના તત્ત્વજ્ઞાનના પરમ પિપાસુ, સાધુ વેયાવચ્ચના રસિયા હતા. તેમના સતત સતત પ્રયાસથી લગભગ ૧૫ ટકા જેટલી દૃષ્ટિનો ઉઘાડ થયો. જે અનુવાદનું કાર્ય બાકી હતું તેના વિશાળ કદના અક્ષરોવાળી ઝેરોક્ષ નકલો કરાવી. પૂજ્યશ્રીની આંખે ચોવીશ નંબરના
SR No.022485
Book TitleTattvarthadhigam Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages410
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy