SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ લલિતવિસ્તરા ભાગ-૩ જે જે કાળમાં જે જે સ્ત્રીઓ થાય છે તેણીઓ તે તે કાળની અપેક્ષાએ યાપનીયતંત્રમાં કહ્યા તેટલા ગુણોથી યુક્ત હોય તો જ ઉત્તમધર્મને સાધી શકે, અન્યથા સ્ત્રીચાંચલ્યને કારણે ધર્મની બાહ્ય આચરણા કરે તોપણ અંતરંગ અસંગભાવને અનુકૂળ ધર્મ પ્રગટ કરી શકે નહિ અને જે સ્ત્રીઓ વર્તમાનના વિષમકાળમાં પણ સંઘયણબળના અભાવને કારણે અને વિશિષ્ટ શક્તિઓના અભાવને કારણે મોક્ષ સાધી શકે તેમ નથી, છતાં યાપનીયતંત્રમાં બતાવ્યા તેવા સર્વ ગુણોથી યુક્ત છે તેવી સ્ત્રીઓનું ચિત્ત ભવથી અત્યંત વિરક્ત છે, વિતરાગ ભગવાનના વીતરાગતા આદિ ગુણોથી અત્યંત વાસિત છે તેવી સ્ત્રીઓ વિકૃત સુદ્રદોષોથી પર થઈને સ્વભૂમિકા અનુસાર શુદ્ધ આચારોને પાળીને અસંગભાવની પરિણતિને અનુરૂપ ઉત્તમધર્મની સાધિકા બને છે એમ વિદ્વાનો કહે છે અને તેણીઓનો આ ભવમાં સાધેલો ઉત્તમધર્મ ઉત્તરોત્તર અસંગભાવની શક્તિને અધિક કરીને કેવલજ્ઞાનનો સાધક છે, તેથી વર્તમાનકાળની સ્ત્રીઓમાં પણ જેણીઓ પ્રસ્તુત ગુણોથી યુક્ત ઉત્તમ ધર્મને સાધે છે, તેણીઓ અલ્પભવમાં કેવલજ્ઞાનને સાધશે અને કેવલજ્ઞાન પ્રાપ્ત થયે છતે નિયમથી મોક્ષની પ્રાપ્તિ છે, એ પ્રમાણે આનુષંગિક કથન કર્યું અર્થાતુ નારી દ્વારા કરાયેલો નમસ્કાર નારીને સંસારસાગરથી તારે છે એ કથનથી નમસ્કારથી કઈ રીતે નારીને મોક્ષની પ્રાપ્તિ છે તે આનુષંગિક કથન કર્યું અને નમસ્કાર નર-નારીને સંસારસાગરથી તારનાર છે માટે નર અને નારીએ વર્ધમાન સ્વામીને નમસ્કાર કરવો જોઈએ એમ ગાથાથી ફલિત થાય છે. લલિતવિસ્તરા - आह, -'किमेष स्तुत्यर्थवादो यथा- 'एकया पूर्णाहुत्या (प्र० पूर्णयाऽहुत्या) सर्वान् कामानवाप्नोती ति? उत विधिवाद एव यथा-'अग्निहोत्रं जुहुयात् स्वर्गकाम' इति? किं चातः? यद्याद्यः पक्षः, ततो यथोक्तफलशून्यत्वात् फलान्तरभावे च तदन्यस्तुत्यविशेषादलमिहैव यत्नेन, न च यक्षस्तुतिरप्यफलैवेति प्रतीतमेवैतत्, अथ चरमो विकल्पः, ततः सम्यक्त्वाणुव्रतमहाव्रतादिचारित्रपालनावैयर्थ्यम्, तत एव मुक्तिसिद्धेः, न च फलान्तरसाधकमिष्यते सम्यक्त्वादि, मोक्षफलत्वेनेष्टत्वात्, 'सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः' इतिवचनादिति। (तत्त्वार्थ १/१) લલિતવિસ્તરાર્થ - ગાદથી શંકા કરે છે – આ=વર્ધમાન સ્વામીને કરેલો એક નમસ્કાર સંસારસાગરથી તારે છે એ, સ્તુતિ અર્થવાદ છેઃસ્તુતિ કરવા માટે પ્રશંસાવચન છે, જે પ્રમાણે – એક પૂર્ણ આહુતિથી સર્વ કામોને પ્રાપ્ત કરે છે, એ પ્રકારનું વેદવચન સ્તુતિ માટે અર્થવાદ છે તેમ વીર ભગવાનને કરાયેલો એક નમસ્કાર સંસારસાગરથી તારે છે એ વચન સ્તુતિ માટે શું અર્થવાદ છે?, અથવા વિધિવાદ જ છે? જે પ્રમાણે – રવર્ગની કામનાવાળો અગ્નિહોત્ર યજ્ઞને કરે એ પ્રમાણે અગ્નિહોત્ર યાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે માટે સ્વર્ગની પ્રાપ્તિને અનુકૂળ વિધિવાદ છે તેમ વીર ભગવાનને કરેલો નમસ્કાર અવશ્ય સંસારસાગરથી તારે છે, માટે સંસારસાગરથી તરવાની વિધિનું કથન
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy