________________
૧૫૧
પુખરવરદી સૂત્ર લલિતવિસ્તરા - _ 'नन्वेवं सर्वज्ञ एवास्य वक्ता सदा, नान्यः, (अन्यथा) तदसाधुत्वप्रसङ्गाद् इति सोऽवचनपूर्वक एव कश्चिन्नीतितः?' ननु 'बीजाङ्कुरवत्' इत्यनेन प्रत्युक्तं; परिभावनीयं तु यत्नतः।।
तथार्थज्ञानशब्दरूपत्वादधिकृतवचनस्य शब्दवचनापेक्षया नावचनपूर्वकत्वेऽपि कस्यचिद् दोषः, मरुदेव्यादीनां तथाश्रवणात्, वचनार्थप्रतिपत्तित एव तेषामपि तथात्वसिद्धेः तत्त्वतस्तत्पूर्वकत्वमिति। __ भवति च विशिष्टक्षयोपशमादितो मार्गानुसारिबुद्धवचनमन्तरेणापि तदर्थप्रतिपत्तिः, क्वचित् तथादर्शनात्, संवादसिद्धेः, एवं च व्यक्त्यपेक्षया नाऽनादिशुद्धवादापत्तिः, सर्वस्य तथा तत्पूर्वकत्वात्; प्रवाहतस्त्विष्यत एव; इति न ममापि तत्त्वतोऽपौरुषेयमेव वचनमिति प्रपञ्चितमेतदन्यत्रेति नेह પ્રવાસદારા લલિતવિસ્તરાર્થ
નનુથી પૂર્વપક્ષી કહે છે – આ રીતે સર્વજ્ઞ જ આના=વચનના, સદા વક્તા છે, અન્ય નહિ, અન્યથા એવું ન માનો તો, તેના અસાધુત્વનો પ્રસંગ છે=અસર્વજ્ઞ કથિત તે વચનના અપ્રામાણિકત્વનો પ્રસંગ છે, એથી તે સર્વજ્ઞ, નીતિથી કોઈક અવચનપૂર્વક જ છે. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનું નિવારણ કરતાં ગ્રંથકારશ્રી નનુથી કહે છે – બીજાંકુરની જેમ એ કથન દ્વારા પ્રત્યુક્ત છેકપૂર્વપક્ષીનું કથન નિરાકૃત છે, વળી, યત્નથી પરિભાવન કરવું જોઈએ અને અધિકૃત વચનનું અર્થ-જ્ઞાન અને શબ્દરૂપપણું હોવાથી શબ્દ વચનની અપેક્ષાથી કોઈક ભગવાનના અવચનપૂર્વકપણામાં પણ દોષ નથી; કેમ કે મરુદેવી આદિનું તે પ્રકારે શ્રવણ છે=શબ્દ નિરપેક્ષ અર્થ અપેક્ષાએ વચનપૂર્વકત્વનું શ્રવણ છે. વચન નિરપેક્ષ અર્થપૂર્વક તેઓ કેમ સર્વજ્ઞ થયા છે ? તેમાં હેતુ કહે છે – વચનાર્થની પ્રતિપત્તિથી જ=મોક્ષમાર્ગના પ્રકાશક વચનના અર્થના બોધથી જ, તેઓના પણ તથાત્વની સિદ્ધિ હોવાથી સર્વજ્ઞત્વની સિદ્ધિ હોવાથી, તત્વથી તપૂર્વકપણું છે=મરુદેવી આદિનું વચનપૂર્વકપણું છે, અને વિશિષ્ટ ક્ષયોપશમ આદિથી માર્ગાનુસારી બુદ્ધિને કારણે વચન વગર પણ તેના અર્થની પ્રતિપત્તિ=મોક્ષમાર્ગના પ્રકાશક વચનના અર્થનો બોધ, થાય છે; કેમ કે કવચિત્ તે પ્રકારનું દર્શન છે કોઈક યોગ્ય જીવમાં વચન વગર પણ વચનના તાત્પર્યના બોધનું
દર્શન છે.
કઈ રીતે નક્કી થાય કે સર્વજ્ઞના વચન વગર પણ માર્ગાનુસારી બુદ્ધિવાળા જીવનો અતીન્દ્રિય પદાર્થનો બોધ સર્વજ્ઞના વચનાનુસાર છે ? તેમાં હેતુ કહે છે –
સંવાદની સિદ્ધિ છે અને આ રીતે=વચન પૌરુષેય છે એ રીતે, વ્યક્તિની અપેક્ષાએ અનાદિ