________________
ॐ पार्श्वनाथाय नमः
પ્રમાણુનયતત્વલોકાલંકાર.
પ્રથમ પરિચ્છેદ. ગ્રંથ કર્તાનું મંગળ
रागद्वेषविजेतारं, ज्ञातारं विश्ववस्तुनः शक्रपूज्यं गिरामीशं, तीर्थेशं स्मृति मानये ॥१॥
અર્થ:–રાગ દ્વેષને જીતનાર, વિશ્વવસ્તુને જાણનાર, ઇંદ્ર ને પૂજ્ય ને વાણુના નિયામક એવા તીર્થકરનું હું સ્મરણ કરું છું. ' વિશેષાર્થ – દરેક ગ્રંથકાર શાસ્ત્રની શરૂઆતમાં મંગળ કરે છે અને તે મંગળદ્વારા શાસ્ત્રની નિર્વિઘ સમાપ્તિ માનવામાં આવે છે. આ નિર્વિઘ સમાપ્તિમાં મંગળદ્વારા થતું પુણ્ય મૂખ્ય કારણ છે. તેમજ ઈષ્ટદેવની સ્તુતિરૂપ વ્યાખ્યાન પ્રવૃતિ શિષ્યમાં ઉતરે તે માટે મંગળ કરવામાં આવે છે. તથા શિષ્ટાચારના પાલન નિમિત્તે મંગળ કરવામાં આવે છે. આ રીતે મંગળ કરવાના ત્રણ કારણે ઉપસ્થિત થાય છે.
આ મંગળ ગ્રંથકારની પૂજ્યમાં પૂજ્ય વ્યક્તિ વિષયક હોય છે. અને દરેક પૂજ્ય વ્યક્તિ પોતાના ગુણદ્વારાજ