SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ [ અધ્યાત્મ અનુયોગ સહિત (૧૫) અનુકૂળ-પ્રતિકૂળ વિષય સેવનના ફળ સ્વરૂપે તત્કાલ જે હર્ષ, શોક વગેરે જન્મે, તેનાથી પણ હું તો ભિન્ન જ છું. અતિપ્રમાણમાં, તીવ્ર આસક્તિથી વિષયોનો ભોગવટો કરવાથી દીર્ઘ કાળે જે રોગ, ઘડપણ, મોત, નરકગમન વગેરે ફળ મળે તેનાથી પણ હું અત્યંત ન્યારો છું. ઈન્દ્રિય, ઈન્દ્રિયધર્મ, ઈન્દ્રિયઅવયવો, ઈન્દ્રિયક્રિયા અને ઈન્દ્રિયક્રિયાફળ - આ પાંચેય સાથે મારે કાંઈ જ સ્નાન-સૂતક નથી, લાગતું-વળગતું નથી. કેમ કે હું તો સ્વતઃ અતીન્દ્રિય, ઈન્દ્રિયાતીત, ઈન્દ્રિયભિન્ન, ઈન્દ્રિયરહિત, ઈન્દ્રિયસંપર્કશૂન્ય, ઈન્દ્રિયઅગોચર અને અમૂર્ત-અરૂપી છું. * મન-તદ્ધર્માદિથી આત્મા અલગ છે ૫૮૪ (૧૬) મનથી તો વિશેષે કરીને હું જુદો છું. કેમ કે નિસ્તરંગચૈતન્યસ્વભાવી હું મનાતીત છું. (૧૭) સારા-ખરાબ સંસ્કાર, ચંચળતા, વિહ્વળતા, ભય વગેરે મનના ગુણધર્મોથી હું અલાયદો છું. (૧૮) દ્રવ્યમનમાં રહેલ મનોવર્ગણા વગેરે પુદ્ગલરાશિથી હું નિજચૈતન્યસ્વભાવતઃ ભિન્ન છું. (૧૯) આશા, કલ્પના, સંકલ્પ, વિકલ્પ, માનસિક બબડાટ, ચિંતા વગેરે મનની ક્રિયાઓથી જુદો છું. (૨૦) મનની ઉપરોક્ત ક્રિયાઓના ફળસ્વરૂપે જે આકુળતા, વ્યાકુળતા, દુર્ગતિગમન વગેરે મળે | તેનાથી પણ હું તદન ન્યારો છું. કારણ કે પરમાર્થથી તો હું મનાતીત, મનભિન્ન, મનરહિત, મનસંપર્કશૂન્ય, મનઅગોચર છું. નિશ્ચલ, નિર્ભય, નિર્વિકલ્પ, નિશ્ચિત અને નિરાકુળ જ છું. 24 તેથી મન, મનોધર્મ, મનઅવયવ, મનક્રિયા, મનક્રિયાફળ - આ પાંચેય સાથે મારે કાંઈ જ લાગે -વળગે નહિ. શુદ્ધાત્મા પરમાર્થથી સર્વ શબ્દ-તર્ક-મતિ-મન-મનનનો વિષય નથી. આ જ અભિપ્રાયથી આચારાંગસૂત્રમાં બતાવેલ છે કે ‘શુદ્ધાત્માને દર્શાવવાની બાબતમાં સર્વે સ્વરો પાછા ફરી જાય છે. . શુદ્ધાત્મામાં તર્કો પહોંચતા નથી. મતિ શુદ્ધાત્માનું અવગાહન કરતી નથી.' આ સ્વરૂપે મારી જાતને ઢો અપરોક્ષપણે ઝડપથી અનુભવવી છે. પૂર્વે (૪/૧૧) આ સંદર્ભ દર્શાવેલ છે. તેનું અહીં અનુસંધાન કરવું. J દ્રવ્યકર્મ-તદ્ધર્માદિથી આત્મા સ્વતંત્ર છે જી (૨૧) જ્ઞાનાવરણ, દર્શનાવરણ વગેરે આઠ દ્રવ્યકર્મોથી મારું અસ્તિત્વ સ્વતંત્ર છે. (૨૨) અલ્પ સ્થિતિ, દીર્ઘ સ્થિતિ, ચાર ઠાણીયો વગેરે તીવ્ર રસ, એક ઠાણીઓ વગેરે મંદ રસ, શુભ રસ, અશુભ રસ, સત્તા (કર્મબંધ પછીની અને ઉદય પૂર્વેની અવસ્થા), અબાધાકાળ વગેરે દ્રવ્યકર્મના ગુણધર્મો છે. તે તમામથી હું મૂળભૂત સ્વભાવે તો તદ્દન જુદો જ છું. (૨૩) કાર્મણશરીરમાં રહેલ કાર્મણવર્ગણાના પુદ્ગલોના સમૂહથી પણ હું સ્વતંત્ર છું. (૨૪) બંધ, ઉદય, ઉદીરણા, સંક્રમણ, ઉર્તના, અપવર્તના, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષય, નિધત્ત (નિકાચના પૂર્વેની કર્મદશા), નિકાચના વગેરે દ્રવ્યકર્મની ક્રિયાઓથી હું સાવ જ નિરાળો છું. (૨૫) કર્મની બંધાદિ ક્રિયાના ફળસ્વરૂપે થતા ભવભ્રમણ વગેરેથી પણ હું તદ્દન સ્વતંત્ર છું. કેમ કે હું કર્યાતીત, કર્મભિન્ન, કર્માતિક્રાન્ત, કર્મરહિત, કર્મસંપર્કશૂન્ય, કર્મનો અવિષય છું. કર્મની પેલે પાર મારું અસ્તિત્વ છે. ચૈતન્યથી ઝળહળતું મારું અસ્તિત્વ છે. તેમાં કર્મનો બિલકુલ પગ-પેસારો નથી. કર્મ કર્મના સ્વરૂપમાં છે. હું મારામાં છું, મારા સ્વરૂપમાં છું, મારા શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપમાં જ છું. તેથી જ દ્રવ્યકર્મ, કર્મધર્મ, કર્મઅવયવ, કર્મક્રિયા, કર્મક્રિયાફળ આ પાંચેયથી હું જુદો છું.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy