________________
अन्ययोगव्यद्वा. प्रलोक : २३ तथाप्यस्त्येव कुम्भ इत्येतावन्मात्रोपादाने कुम्भस्य स्तम्भाधस्तित्वेनापि सर्वप्रकारेणास्तित्वप्राप्तेः प्रतिनियतस्वरूपानुपपत्तिः स्यात् । तत्प्रतिपत्तये स्याद् इति शब्दः प्रयुज्यते । स्यात् कथंचिद् स्वद्रव्यादिभिरपीत्यर्थः । यत्रापि चासो न प्रयुज्यते तत्रापि व्यवच्छेदफलैवकारवद् बुद्धिमद्भिः प्रतीयत एव । यदुक्तम्
"सोऽप्रयुक्तोऽपि वा तज्ज्ञैः सर्वत्रार्थात्प्रतीयते ।
यथैवकारोऽयोगादिव्यवच्छेदप्रयोजन" ॥ इति प्रथमो भङ्गः ॥
(અનુવાદ)
હવે વિસ્તારથી સપ્તભંગીનું સ્વરૂપ કહેવામાં આવે છે. પ્રથમબંગ-ઘટ આદિ પ્રત્યેક વસ્તુ પિતાનાં દ્રશ્ય ક્ષેત્ર,કાલ અને ભાવની અપેક્ષાએ અસ્તિત્વરૂપ છે. અને ઘટથી ભિન્ન પટ આદિ પર વસ્તુનાં દ્રવ્ય ક્ષેત્ર,કાલ અને ભાવની અપેક્ષાએ નાસ્તિત્વરૂપ છે. જેમ ઘટ દ્રવ્યથી પાર્થિવરૂપે વિદ્યમાન છે. પરંતુ જલ આદિ રૂપે નથી. ક્ષેત્રથી ઘડે પાટલીપુત્ર સંબંધી છે, પરંતુ કનોજ આદિ ક્ષેત્રની અપેક્ષાએ નથી. કાલથી શિશિર ઋતુની અપેક્ષાએ વિદ્યમાન છે પરંતુ વસંતઋતુ આદિની અપેક્ષાએ નથી. ભાવથી ઘટ શ્યામરૂપે વિદ્યમાન છે. પરંતુ લાલ રંગની અપેક્ષાએ નથી. જે પદાર્થોનું અસ્તિત્વ સ્વ દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષા રાખ્યા વિના માનવામાં આવે તે પદાર્થના સ્વરૂપની સિદ્ધિ થઈ શકતી નથી. કેમકે જ્યાં સુધી વસ્તુના એક સ્વરૂપની અન્ય સ્વરૂપથી વ્યાવૃત્તિ (અન્યસ્વરૂપને નિષેધ) માનવામાં ના આવે ત્યાં સુધી વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણી શકાતું નથી. માટે અહીં ભાંગામાં અનીસિત પદાર્થોનો નિષેધ કરવા “વ” એવા અવધારણ વાક્યને પ્રવેશ કરવામાં આવે છે, કેમકે એવા અવધારણું “નિશ્ચિત” વાક્યને પ્રયોગ કરવામાં ના આવે તે અનીસિત વરત-તત્ત્વ પણ માનવું પડશે. કહ્યું પણ છે કેઃ વાકયમાં એવકારને પ્રત્યે અવિવક્ષિત પદાર્થોને નિષેધ માટે છે. જે એવકારને પ્રવેગ કરવામાં ના આવે તે અવિવક્ષિત અર્થને પણ સ્વીકાર કરે પડે.
શંકા - ઘટ અસ્તિત્વ રૂપ જ છે “મરત્યે હું એમ કહેવાથી પ્રજન સિદ્ધ થઈ જાય છે. તે પુનઃ “ચ” (કથંચિત) શબ્દને પ્રયાગ કરવાની શી જરૂર છે ?
સમાધાન : ‘ઘટ છે જ’ કેવલ એમ કહેવાથી ઘટના અસ્તિત્વનું જ્ઞાન થઈ શકતું નથી. કેમકે “ઘટ છે જ” “સરફ્લેવ યુ” આમ કહેવામાં જેવી રીતે ઘટ સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ છે. તેવી રીતે પર ૫ટ, સ્તંભ આદિ સર્વ પદાર્થની અપેક્ષાએ પણ ઘટના અસ્તિત્વની પ્રાપ્તિ થશે ! અર્થાત એક જ ઘટ વસ્તુ સર્વ પદાર્થરૂપે વિદ્યમાન થવાથી ઘટના પ્રતિનિયત સ્વરૂપનું જ્ઞાન થઈ શકતું નથી. આથી “સાચે જુ”એમ “ચાર' શબ્દના પ્રયોગથી સિદ્ધ થાય છે કે ઘટ સ્વ દ્રવ્ય, ક્ષેત્ર કાલ અને ભાવની અપેક્ષાએ