SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧/૨ ६ १२. ननु अर्थनिर्णयवत् स्वनिर्णयोऽपि वृद्वैःप्रमाणलक्षणत्वेनोक्तः- “प्रमाणं स्वपराभासि" [न्यायाव० १] इति, "स्वार्थव्यवसा'यात्मकं ज्ञानं प्रमाणम्" [ तत्त्वार्थश्लोकवा० १.१०.७७ ] इति च । न चासा'वसन्, 'घटमहं जानामि' इत्यादौ कर्तृकर्मवत् ज्ञप्तेरप्यवभासमानत्वात् । न च अप्रत्यक्षोपलम्भ स्यार्थदृष्टिः प्रसिद्धयति । न च ज्ञानान्तरात् तदुपलम्भसम्भावनम्, અને વ્યભિચાર હોય ત્યાં જ વિશેષણ સાર્થક બને છે, તેથી આવો અર્થ થયો કે “અર્થનો સમ્યગુ નિર્ણય તે પ્રમાણ” આ સમ્યમ્ વિશેષણથી વિપર્યય-વિપરીત નિર્ણયનો પ્રમાણ તરીકે નિરાસ થયો. અલક્ષ્ય એવાં સંશય વગેરે તેમજ વિપરીત જ્ઞાનમાં લક્ષણ ન જતું હોવાથી અતિવ્યાપ્તિ થતી નથી. અને લક્ષ્યભૂત પ્રમાણમાં સર્વત્ર લક્ષણ “સમ્યગુઅર્થ નિર્ણય' ઘટતું હોવાથી અવ્યાપ્તિ અને અસંભવ દોષ પણ નથી. આ “પ્રમાણ સામાન્ય”નું શુદ્ધ લક્ષણ થયું. રાં ૧૨. શંકાસ્પ્રાચીન આચાર્યોએ અર્થના નિર્ણયની જેમ સ્વનિર્ણયને પણ પ્રમાણના લક્ષણ તરીકે કહ્યું છે “પ્રમાણે સ્વપરાભાસિ’ એમ ન્યાયાવતારના પ્રથમ સૂત્રમાં સિદ્ધસેન દિવાકરસૂરિએ જણાવ્યું છે. અને તત્વાર્થ શ્લોકવાર્તિકમાં ૧-૧૦-૭૭ “જ્ઞાન અને પદાર્થનું નિશ્ચયાત્મક જ્ઞાન” તે પ્રમાણ એમ કહ્યું છે. આ સ્વનિર્ણય અસતુ-તુચ્છ પણ નથી “હું ઘટને જાણું છું” ઈત્યાદિ પ્રતીતિમાં “હું” કર્તા, અને “ઘટકર્મની જેમ “જાણું છું” એવી જ્ઞતિક્રિયા = જ્ઞાનનું પણ ભાન થાય છે. ઉપલક્ષ્મ-જ્ઞાનનું જેણે પ્રત્યક્ષ સંવેદન-ભાન થયું નથી તેવા પુરૂષને પદાર્થનું ભાન થઈ શકતું નથી. જ્ઞાનાન્તર વાદી અન્ય જ્ઞાનથી તસ્વનિર્ણયનો ઉપલક્ષ્મ-ભાન થઈ જશે અને પ્રથમજ્ઞાનથીસ્વનિર્ણયથી પદાર્થ જણાઈ જશે. ઉપલભ= નિશ્ચય કરના, જાનના, પ્રત્યક્ષજ્ઞાન, અભિજ્ઞાન, અનુભવ (સં.હિ.), १ निश्चयात्मकम् । २ स्वनिर्णयः । ३ पुरुषस्य । ४ स्वनिर्णयोपलम्भ०।। ૧. આ શંકાકાર પ્રાચીન શાસ્ત્રના અભ્યાસવાળો જૈન છે, અને વચ્ચે જ્ઞાનાન્તરવાદી ટપકી પડે છે, ત્યારે સ્વસંવેદનવાદી તેનું સમાધાન કરે છે. સ્વસંવેદનવાદીની વાત આચાર્યશ્રીને માન્ય છે, માટે તેને સમાધાન રૂપે સ્વીકાર્યો છે. ૨. શક્તિ-બુદ્ધિ, સમજ, જ્ઞાન વ્યાપાર, જ્ઞાણિ+ક્તિ= જ્ઞપ્તિ ભાવમાંક્તિ પ્રત્યય છે, તેમ જ્ઞાાન પ્રત્યય લાગ્યો છે. જાનામિ દ્વારા એમ જણાવવામાં આવે છે કે “આ ઘટ છે” એટલું જ નહીં, પણ “આ ઘટ છે” એવું જ્ઞાન મને થયું છે. એવું ભાન થાય છે. ઘડા રૂપે પોતાને ભાસ થયો. ટુંકમાં સામે રહેલી વસ્તુમાં (વિષયતાસં.થી) ઘટ જ્ઞાન પેદા થાય ત્યારે એનો ભાસ પ્રમાતાને પણ થાય છે. “એટલે કે “આઘડો છે” એવી જાણ મને પડી” અહં ઘટ જ્ઞાનવાનું. મટણી (૨૪રૂ છે.) સસ માત્ર જાણવું, બૌદ્ધો જ્ઞાનને માત્ર નિરંશ માનશે તો અને એકજ્ઞાનને જ માનશે તો પ્રમાતા પ્રમેય પ્રમાણ આ અંશ તેમાં ન રહેવાથી શક્તિની પણ નિવૃત્તિ થઈ જશે કારણ કે જ્ઞાતિના ચાર અંગ છે, ઘટ સામે ન હોય તો ન દેખાય, તેમ પ્રમાતા હાજર ન હોય તો પણ ન દેખાય, અને પ્રમાતા પાસે જ્ઞાન ન હોય (આંખ દ્વારા જોવાની શક્તિ) ન હોય તો પણ ન દેખાય. એમ ચારેય અંગની જરૂર પડે છે. હવે જો એક જ આત્મામાં બધા અંશ માનશો તો અનેકાંતવાદ આવી જશે. ૩. જેમ બોલવાની ક્રિયા કરનાર વ્યક્તિ ઉપયોગ શૂન્ય હોય તો હું બોલું છું એનું પણ ભાન રહેતું નથી, તો તે વ્યક્તિને હું શું બોલું છું તેનું ભાન તો ક્યાંથી રહે? તેમ જે વ્યક્તિને મને જ્ઞાન થયું છે આવું ભાન પણ ન થાય તેને (મને ઘટનું જ્ઞાન થયું છે) “આ ઘટ છે” આવું અર્થ સંબંધી જ્ઞાન કેવી રીતે સંભવી શકે? દીવામાં જ જ્યોત ન પ્રગટે ત્યાં સુધી તે બીજાને કેવી રીતે પ્રકાશિત કરી શકે ?
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy