________________
પુણ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર ગાથા ૧૫૦ કહ્યો છે, આત્માનો તે ઉપયોગ શુભ વા અશુભ હોય છે. (૨) ઉપયોગ જો શુભ તો જીવને પુણ્ય
અશભ તો તથા પ્રકારે પાપ અને તે બન્નેના અભાવે ચય (સંચય) છે નહિ. (૩) જે જિનેંદ્રોને જાણે છે, સિદ્ધોને તેમજ અનગારોને પેખે છે અને જીવમાં સાનુકંપ છે, તે તેનો ઉપયોગ શુભ છે. (૪) વિષય કષાયથી અવગાઢ, દુઃશ્રુતિ દુશ્ચિત્ત-દુષ્ટ ગોષ્ટિયુક્ત, ઉગ્ર, ઉન્માર્ગ પર એવો જેનો ઉપયોગ છે તે અશુભ છે. આની વ્યાખ્યા કરતાં પરમતત્ત્વવિજ્ઞાની (great spiritual scientist) પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પરમ અદ્દભુત તત્ત્વ વૈજ્ઞાનિક (most scientific) તત્ત્વ મીમાંસા કરી છે તેના તાત્પર્ય રૂપ એ છે કે – (૧) આત્માને નિશ્ચય કરીને પરદ્રવ્ય સંયોગનું કારણ ઉપયોગ વિશેષ છે - ઉપયોગ તે તો આત્માનો “સ્વભાવ' છે, કારણ ઉપયોગ એ આત્માના ચૈતન્ય સ્વરૂપને અનુસરનારો - “ચૈતન્ય અનુવિધાયિ’ પરિણામ છે અને ચૈતન્ય સાકાર અને નિરાકાર એમ બે પ્રકારમાં વિભક્ત છે, એટલે ઉપયોગ પણ સાકાર જ્ઞાનરૂપ અને નિરાકાર દર્શન રૂપ એમ બે પ્રકારનો છે. હવે આ જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગના શુદ્ધ-અશુદ્ધપણાએ કરીને બે વિશેષ છે - શુદ્ધોપયોગ અને અશુદ્ધોપયોગ એમ તેના બે વિભાગ છે. તેમાં - શુદ્ધ ઉપયોગ નિરુપરાગ (ઉપયોગને રંગનારા રાગના ઉપરંજનથી રહિત હોવાથી) અને અશુદ્ધ સોપરાગ (ઉપરંજન રૂપ ઉપરાગ સહિત) હોય છે અને આ ઉપરાગ તરતમતાને લઈ વિશુદ્ધિ રૂપ - સંક્લેશ રૂપ એમ બે પ્રકારનો હોઈ, અશુદ્ધોપયોગ પણ વિશુદ્ધિ પરિણામ રૂપ શુભોપયોગ અને સંક્લેશ પરિણામ રૂપ અશુભોપયોગ એમ બે પ્રકારનો છે. (૩) આમ વિશુદ્ધિ-સંક્લેશ રૂપ ઉપરાગ વશથી અનુક્રમે પુણ્ય-પાપપણા રૂપ - શુભાશુભપણા રૂપ શુભોપયોગ-અશુભોપયોગ એ બે વિભાગમાં વિભક્ત થયેલો અશુદ્ધોપયોગ જ જીવને પરદ્રવ્ય સંયોગનું કારણ છે. પણ જ્યારે શુભ-અશુભ આ દ્વિવિધ પણ (બન્ને પ્રકારનો) આ અશુદ્ધનો (ઉપયોગનો) અભાવ કરાય છે, ત્યારે ખરેખર ! નિશ્ચય કરીને ઉપયોગ શુદ્ધ જ અવતિષ્ઠ છે - જેમ છે તેમ સહજ સહજાત્મ સ્વરૂપથી સ્થિતિ કરે છે, તે “સહજાત્મસ્વરૂપ” શુદ્ધ ઉપયોગ પુનઃ પરદ્રવ્ય સંયોગનું અકારણ જ છે, યલા તુ દ્વિવિદ્યાભ્યાદ્ધિચામવિ: યિત તલા વસૂપયો: શુદ્ધ gવાવતિતે | સ પુનરાRUામેવ પૂરદ્રવ્યસંયોજાય | (૩) તેમાં - શુભોપયોગનું સ્વરૂપ આ પ્રકારે - “વિશિષ્ટ ક્ષયોપશમદશા વિશ્રાંત એવા દર્શન - ચારિત્રમોહનીય પુદગલના અનુવૃત્તિપરપણાએ કરીને પરિગ્રહીત શોભન ઉપરાગપણાને લીધે
"अप्पा उवओगप्पा उवओगो णाणदंसणं भणिदो । सो हि सुहो असुहो वा उवओगो अप्पणो हवदि । उवओगो जदि हि सुहो पुण्णं जीवस्स संचयं जादि । असुहो बा तथ पावं तेसिमभावे ण चयमत्यि ॥ जो जाणादि जिर्णिदे पेच्छदि सिद्धे तधेव अणगारे । जीवे य साणुकंपो उवओगो सो सुहो तस्स ।। विसयकसाओगाढो दुस्सुदि दुचित्त दुट्ठगोट्ठि जुदो । હો હમારે કવોનો સો માહો ” - શ્રી પ્રવચનસાર', ગા. ૬૩-૬૬ “आत्मनो हि परद्रव्यसंयोगकारणसमुपयोगविशेषः, उपयोगो हि तावदात्मनः स्वभावश्चैतन्यानुविधायिपरिणामत्वात् । स तु ज्ञानं दर्शनं च साकारनिराकारत्वेनोभयरूपत्वाच्चैतन्यस्य । अथायमुपयोगो द्वेधा विशिष्यते शुद्धाशुद्धत्वेन । तत्र शुद्धो निरुपरागः अशुद्धः सोपरागः । स तु विशुद्धिसंक्लेशरूपत्वेन द्वैविध्यादुपरागस्य द्विविधः शुभोशुभच्च ।। उपयोगो हि जीवस्य परद्रव्यसंयोगकारणमशुद्धः । स तु विशुद्धिसंक्लेशरूपोपरागवशात् शुभाशुभत्वेनोपात्तद्वैविध्यः । पुण्यपापत्वेनोपात्तद्वैविध्यस्य परद्रव्यस्य संयोगकारणत्वेन निर्वर्तयति । यदा तु द्विविधस्याप्यस्याशुद्धस्याभावः क्रियते तदा खलूपयोगः शुद्ध एवावतिष्ठते । स पुनरकारणमेव परद्रव्यसंयोगस्य ।। विशिष्टक्षयोपशम-दशाविश्रान्तदर्शनचारित्रमोहनीयपुद्गलानुवृत्तिपरत्वेन परिग्रहीतशोभनोपरागत्वात् परमभट्टारकमहा देवाधिदेवपरमेश्वरार्हत्सिद्धसाधुश्रद्धाने समस्तभूतग्रामानुकम्पाचरणे च प्रवृत्तः शुभ उपयोगः ॥ विशिष्टोदयदशाविश्रान्तदर्शनचारित्रमोहनीय पुद्गलानुवृत्तिपरत्वेन परिग्रहीता शोभनोपरागत्वात्परमभट्टारकमहादेवाधिदेवपरमेश्वरIઈદ્ધિસાધુગોડચત્રોમાં શ્રદ્ધાને વિષયછાયદુઃશ્રવણકુરાશય યુસેવનોગ્રતાવરો પ્રવૃત્તોશુમોપયો : ” - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પ્રવચનસાર ટીકા (ઉપરોક્ત) ગા. ૩-૬૬
૩૧