________________
ચૂલિકાની ભૂમિકા
આમ આ મંગલમય શાસ્ત્રની ભવ્ય પૂર્ણાહુતિ તો થઈ અને તે શાસ્ત્ર ગાથાની મંગલમયી
વ્યાખ્યા પણ મંગલ પૂર્ણાહુતિ પામી અને આમ પદે પદે શદ્ધ આત્માની ખ્યાતિ કરતી આ યથાર્થનામાં “આત્મખ્યાતિથી પોતાના શુદ્ધ આત્માની ખ્યાતિ પદે પદે ઓર પ્રખ્યાતિ પમાડી, પોતે પ્રારંભમાં જ પ્રતિજ્ઞાત કરેલ પોતાની શુદ્ધ ચિત્માત્રમૂર્તિની પરમ વિશુદ્ધિ પ્રાપ્ત કર્યાથી, અમૃતચંદ્રજીના પરમામૃતમય દિવ્ય આત્માનો દિવ્ય પરમાનંદ એટલો બધો સમુલ્લાસ પામ્યો, કે તેનો ઉભરાઈ જતો (over flowing) અમૃતરસ આ શાસ્ત્રના કળશના કળશ રૂપ ચિંતામણિ રત્નમય સ્યાદ્વાદાધિકારમાં સંભૂત થઈ, તત્ત્વજ્ઞાનના મેરુશિખર સમા આ ગ્રંથરાજના સુવર્ણમય શિખરે સમારૂઢ થયો અને આ પરમાગમ સમયસાર શાસ્ત્રના પરમ તાત્પર્ય રૂપ અનેકાંત જ્ઞાન - જ્યોતિનો દિવ્ય પ્રકાશ યાવચંદ્ર દિવાકરૌ ઝગઝગાવી રહ્યો ! આ પરમ શાસ્ત્રની “આત્મખ્યાતિ વ્યાખ્યાની પરમ શોભા રૂપ વિશિષ્ટ અંગભૂત કળશ કાવ્ય - કે જેના એક એક અમૃત કળશમાં - “અમૃત કુંભ'માં ઠાંસી ઠાંસીને ભરેલો ચૈતન્ય અમૃતરસ સિંધુ રૂપ સ્વયંભૂ રમણ સમુદ્રનો દિવ્ય અનુભવ અમૃતરસ કોઈ પણ મુમુક્ષુને સુગમપણે “પેય” અમૃતપાન રૂપ થઈ પડ્યો છે. આવા આ અનુપમ દિવ્ય અમૃત કળશ કાવ્યની ગ્રષ્ટિથી પણ સંતોષ ન પામતાં દિવ્ય દ્રષ્ટા મહાકવિ - બ્રહ્મા પરમબ્રહ્મજ્ઞ પરંબ્રહ્મ પરમર્ષિ અમૃતચંદ્રજીએ કળશના કળશ રૂપ આ સ્યાદ્વાદાધિકારમાં પરમ અદ્ભુત રચના કરી છે અને આ શાસ્ત્ર ચૂડામણિના ચૂડામણિ સ્થળે શોભી રહેલ ચૂલિકા રૂપ સ્યાદ્વાદાધિકારમાં પરમ જગદગુરુ અહંત ભગવતના અને સિદ્ધાંતની અલૌકિક મૌલિક અભૂતપૂર્વ અનન્ય તત્ત્વમીમાંસા કરી, જગતમાં અનેકાંતનો વિજયઘોષ ઉદ્યોષી, જ્ઞાનનો અનન્ય મહિમા વિસ્તાર્યો છે. (ભગવાનદાસ)
૮૦૧