________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કળશ ૨૪૪
સમયસારની ઉત્તર કંઈ નહિ એવા ભાવનો સમયસાર કળશ (૫૨) લલકારે છે -
मालिनी अलमलमतिजल्पै दुविकल्पैरनल्यै रयमिह परमार्थचिंत्यतां नित्यमेकः । स्वरसविसरपूर्णज्ञानविस्फूर्तिमात्रा न खलु समयसारादुत्तरं किंचिदस्ति ॥२४४॥ બસ બસ અતિ જલ્મી દુર્વિકલ્પ અનભે ! અહિં નિત પરમાર્થો એક ચેતો (અજલ્પ); સ્વરસ વિસર પૂર્ણ જ્ઞાન વિરૃર્જિ માત્ર, ન પર સમયસારાથી ખરે ! ઉત્તર કાંઈ અત્ર.. ૨૪૪
અમૃત પદ - ૨૪૪ સમયસારથી ઉત્તર કંઈ ના, નિશ્ચયથી આ જાણ ! સ્વરસ વિસરના કર પ્રસરતો, જ્ઞાન તણો આ ભાણ... સમયસારથી. ૧ બસ બસ બહુ બહુ બડબડ કરતા, દુર્વિકલ્પથી તમામ ! અનલ્પ દુર્વિકલ્પો કેરી, જાલ જટિલનું ન કામ... સમયસારથી. ૨ નિત્ય અહીં ચેતાઓ નિશે, પરમાર્થ જ આ એક, અનુભવ અમૃતરસનું નિત્ય, પાન કરાઓ છેક... સમયસારથી. ૩ સ્વરસ વિસરથી પૂર્ણ જ્ઞાનની, વિક્રૂર્જિ માત્ર સ્તુરંત, સમયસારથી ઉત્તર કંઈ ના, નિશ્ચય એમ દીસંત... સમયસારથી. ૪ સર્વથી ઉત્તર સમયસાર છે, ભગવાન અમૃત ધામ,
સર્વ સમયમાં સાર સમય આ, સહજાત્મસ્વરૂપ ... સમયસારથી. ૫ અર્થ - અતિ જલ્પવાળા અનલ્પ દુર્વિકલ્પોથી બસ થયું ! બસ થયું ! આ અહીં પરમાર્થ એક નિત્ય ચિંતવાઓ ! ખરેખર ! નિશ્ચય કરીને સ્વરસ વિસરથી પૂર્ણ જ્ઞાન વિસ્કૃર્તિ માત્ર સમયસારથી ઉત્તર (આગળમાં) કિંચિત્ છે નહિ. ૨૪૪
અમૃત જ્યોતિ” મહાભાષ્ય “અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણભર પણ મટતું નથી.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૬૭), ૩૩૯, હાથનોંધ-૩ નિર્વિકલ્પપણે અંતર્મુખ વૃત્તિ કરી આત્મધ્યાન કરવું, માત્ર અનાબાધ અનુભવ સ્વરૂપમાં લીનતા થવા દેવી. બીજી ચિંતવના ન કરવી... જે જે તકદિ ઉઠે, તે નહીં બે લંબાવતાં ઉપશમાવા.” -
શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૧૮ હવે આ બધા વિકલ્પોથી શું ? આ સમયસારથી ઉત્તર - પછી કોઈ છે નહિ, એમ આ પરમ ભાવવાહી પરમામૃત સંભૂત કળશમાં પરાત્પર સમયસારના પરમ મહિમાનું મુક્ત કંઠે ઉત્કીર્તન કરતાં
૭૯૧