________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કલશ ૨૨૨ પ્રયોજતું નથી “અલ્યા ! તું મને પ્રકાશ - મને જાણ !” અને શાન પણ સ્વસ્થાનથી ચુત થઈને તે શેયની પાસે પ્રકાશવા - જાણવા આવતું નથી. પણ પરંતુ ય પાસે હો વા મ હો પણ શાન સ્વયં જ પ્રકાશે છે - જાણે છે, (એમ) સહજ જ વસ્તુસ્વભાવ એવો છે કે જ્ઞાન સ્વયં જ અવભાસે છે. એમ કોઈ પણ રીતે શેયથી જ્ઞાન વિકારી થતું નથી ને જાનથી જોય વિકારી થતું નથી, - જેમ પ્રકાશ્યથી દીપ વિકારી થતો નથી ને પ્રકાશ દીપકથી પ્રકાશ્ય વિકારી થતું નથી તેમ. એમ વસ્તુસ્થિતિના બોધવિહોણી જેની બુદ્ધિ છે એવા આ અજ્ઞાની જનો રાગદ્વેષમય કેમ થાય છે ? અને સહજ ઉદાસીનતા કાં મૂકે છે ?. અને આમ સહજ સ્વરૂપથી કાં ચૂકે છે ? સહજાત્મસ્વરૂપ પરમ અમૃતને મૂકી પરરૂપ હલાહલ વિષમાં કેમ મૂકે છે? એમ આ “અમૃત કળશમાં ભગવાનું અમૃતચંદ્રાચાર્યજીની “અમૃત” વાણીનો દિવ્ય ધ્વનિ નિષ્કારણ કરુણાથી પોકારે છે.
૭૦૧