________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કલશ ૨૨૧
ઉક્તનો સારસંદોહ નિબદ્ધ ઉપસંહાર આ સમયસાર કળશમાં (૩૦) આચાર્યજી ભાવવાહી ઉદ્બોધન કરે છે
शार्दीलविक्रीडित
पूर्णेकाच्युतशुद्धबोधमहिमा बोधो न बोध्यादयं, यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव । तद्वस्तुस्थितिबोधवंध्यधिषणा एते किमज्ञानिनो, रागद्वेषमयी भवंति सहजां मुंचत्युदासीनतां ॥२२२॥ પૂર્ણકાચ્યુત શુદ્ધ બોધ મહિમા આ બોધ ના બોધ્યથી, પામે કૈં પણ વિક્રિયા તહિં અહીં જ્યું દીપ ઉદ્યોત્યથી; તો વસ્તુ સ્થિતિ બોધહીન મતિ આ અજ્ઞાનીઓ કાં થતા રાગદ્વેષમયા થતા ? સહજ કાં મૂકે ઉદાસીનતા ? ૨૨ અમૃત પદ - (૨૨૨)
સહજ સ્વરૂપ કાં ચૂકો રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ? સહજ સ્વરૂપ કાં ચૂકો રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?.
પૂર્ણ એક અચ્યુત શુદ્ધ જ જેનો, બોધ મહિમ આ જામે;
બોધ એવો આ બોધ્ય થકી તો, વિક્રિયા કાંઈ ન પામે... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ? ૨
તહીંથી અહીંથી ઉભય દિશેથી, જુઓ ! દૃષ્ટાંત આ ઠામે;
જેમ પ્રકાશ્ય થકી અહીં દીવો, વિક્રિયા કાંઈ ન પામે... રે ચેતન ! ઉદાસીનતા. ૩
મગન છગનનું કાંડુ પકડી, જેમ પ્રયોજે ખાસ;
તેમ પ્રકાશ્ય ન દીપ પ્રયોજે, ‘અલ્યા ! મને તું પ્રકાશ !' રે ચેતન ! ૪
લોહ સૂચિ લોહચુંબક ખેંચી, જાય જ્યમ ચુંબક પાસે;
તેમ સ્વસ્થાનથી વ્યુત થઈ દીવો, જાય ન પ્રકાશ્ય પાસે... રે ચેતન ! ૫
પ્રકાશ્ય હો વા મા હો પાસે, દીપ સ્વયં જ પ્રકાશે;
સહજ જ વસ્તુ સ્વભાવે વસ્તુ, સર્વ સ્વયં અવભાસે... રે ચેતન ! ૬
પરથી ઉપજાવાવા ન કો શક્ય, પર ઉપજાવવા ન શકત;
વસ્તુ જ સહજ સ્વભાવે પરિણમે, નિજ પરિણતિ જ ફક્ત... રે ચેતન ! ૭ તેમ ન શેય પ્રયોજે, ‘અલ્યા ! મને તું પ્રકાશ !
જ્ઞાન
જ્ઞાન પણ સ્વસ્થાનથી વ્યુત થઈને, જાય નહિ જ શેય પાસ... રે ચેતન ! ૮ શેય પાસે હો વા મા પાસે, જ્ઞાન સ્વયં જ પ્રકાશે;
સહજ જ વસ્તુ સ્વભાવ જ એવો, શાન સ્વયં અવભાસે... રે ચેતન ! ૯
એમ ન શેયથી જ્ઞાન વિકારી, જ્ઞાન હોય ન શેય;
પ્રકાશ્યથી નો'ય દીપ વિકારી, દીપથી નો'ય પ્રકાશ્ય... રે ચેતન ! ૧૦
એમ વસ્તુસ્થિતિ બોધ વિહોણી, બુદ્ધિ છે અહીં જેની;
રાગ દ્વેષ મયા કેમ તે થાયે, જન એવા અજ્ઞાની... રે ચેતન ! ૧૧
Fee