________________
સમયસાર : આત્મખ્યાતિ
રાગ-દ્વેષ પ્રસૂતિ પરોનું દૂષણ નથી, પણ અબોધનો દોષ છે, એવા ભાવનો સમયસાર કળશ
(૨૮) પ્રકાશે છે
मालिनी
यदिह भवति रागद्वेषदोषप्रसूतिः,
कतरदपि परेषां दूषणं नास्ति तत्र । स्वयमयमपराधी तत्र सर्पत्यबोधो,
भवतु विदितमस्तं यात्वबोधोऽस्मि बोधः ॥२२०॥
પ્રસૂતિ થતી જ રાગદ્વેષ દોષોની આંહિ, દૂષણ કંઈ પરોનું ત્યાં ખરે ! છે જ નાંહિ; સરપત અપરાધી ત્યાં સ્વયં આ અબોધ,
ભવતુ વિદિત ! અસ્તું જા અબોધા ! છું બોધ. ૨૨૦
અમૃત પદ ૨૨૦
રાગ દ્વેષ દોષ અજ્ઞાન દોષ, રાગ દ્વેષ તુજ દોષ,
પરનો દોષ ન કાંઈ જ એમાં, પર પ્રતિ કાં રોષે ?... રે ચેતન ! રાગ દ્વેષ તુજ દોષ. ૧
રાગદ્વેષ દોષની જે ચેતન ! થાયે પ્રસૂતિ આંહિ,
-
કંઈ પણ તેમાં દૂષણ પરોનું, નિશ્ચયથી છે નાંહિ... રે ચેતન ! ૨
સર્પત ત્યાં સર્પ શું અપરાધી, સ્વયં અબોધ જ હારો,
પર પર દોષ આરોપિત કરતાં, છૂટે ન ચોર બિચારો... રે ચેતન ! ૩
વિદિત હો આ નિશ્ચય વાર્તા ! પામો અસ્ત અબોધ !
‘છું હું બોધ' એ ભગવાન અમૃત, બોધ્યો અમૃત સુબોધ... રે ચેતન ! ૪
અર્થ - જે અહીં રાગ-દ્વેષ દોષની પ્રસૂતિ (ઉત્પત્તિ) થાય છે, તેમાં પરોનું કોઈ પણ દૂષણ છે નહિ, સ્વયં આ અપરાધી અબોધ ત્યાં સર્પે છે, આ વિદિત હો ! અબોધ અસ્ત પામો ! હું બોધ છું. ૨૨૦
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘બીજાના દોષે તને બંધન છે એમ માનીશ નહીં,
તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૮૬), ૧૦૮ ઉપરમાં ભગવતી આંત્મખ્યાતિના ગદ્ય ભાગમાં જે સિદ્ધાંત આટલી સ્પષ્ટ મીમાંસાથી પુષ્ટ તત્ત્વવિચારણાથી સુપ્રતિષ્ઠિત કર્યો, તે પરથી ફલિત થતો સારસમુચ્ચય સંદેબ્ધ કરતા આ પરિપુષ્ટિ રૂપ સમયસાર કળશમાં અમૃતચંદ્રજીએ આત્માર્થી મુમુક્ષુઓને બોધરૂપ ભાવવાહી ઉદ્બોધન કર્યું છે - વિહ भवति रागद्वेषदोषप्रसूतिः અહીં રાગ-દ્વેષ દોષનું પ્રસૂતિ-ઉત્પત્તિ-જન્મ થાય છે, તેમાં પરોનું બીજાઓનું કોઈ પણ દૂષણ છે નહિ, તરપિ પરેષાં યૂષળું નાસ્તિ તંત્ર, સ્વયં - પોતે આ અપરાધી - દોષવાન્ અબોધ ત્યાં સર્પે છે સળવળે છે, સ્વયમયમપરાધી તત્ર સર્વત્વનોધો ભવતુ વિવિતઃ આ વિદિત હો ! Let it be known ! સ્તં યાત્વોધો અબોધ - અજ્ઞાન અસ્ત પામો ! હું બોધ છું - સ્મિ નોધઃ ।
-
અર્થાત્ રાગ દ્વેષ દોષ જે ઉપજે છે તે જીવના પોતાના અજ્ઞાનના દોષે કરી ઉપજે છે, તેમાં પરનો
-
Fee
-
-
-
-