________________
અમૃત પદ - ૧૦૨
ધાર તરવારની' - એ રાગ કર્મ સર્વ નિશ્ચિત, બંધ માર્ગાશ્રિત, તેથી અભેદ તે એક હોય, તેથી તે તો સ્વયં, કર્મ સમસ્ત એ, બંધનો હેતુ અભેદ જોયે.. કર્મ સર્વ. ૧ શુભ વા અશુભ હો, પુણ્ય વા પાપ હો, બંધનો હેતુ તે સર્વ ઈષ્ટ, કેવલ પુદ્ગલમયા, બંધના માર્ગને, આશ્રતું સર્વ તે તો અનિષ્ટ... કર્મ સર્વ. ૨ હેતુ સ્વભાવ અનુભવ આશ્રય તણો, હોય અત્રે સદાયે અભેદ, તેહ કારણ થકી, અત્ર નિશ્ચય નકી, કર્મનો હોય ના કોઈ ભેદ... કર્મ સર્વ. ૩ શુભ વા અશુભ વા, જીવ પરિણામ તે, કેવલ અજ્ઞાન રૂપ એક છેક, એકપણું તસ સતે, કારણ અભેદથી, શુભ અશુભ સર્વ તે કર્મ એક... કર્મ સર્વ. ૪ શુભ વા અશુભ વા, પુગલ પરિણામ તે, કેવલ પુદ્ગલમયા એક છેક, એકપણું તત સતે, સ્વભાવ અભેદથી, શુભ અશુભ સર્વ તે કર્મ એક કર્મ સર્વ. ૫ શુભ વા અશુભ વા, સકલ ફલપાક એ, કેવલ પુદ્ગલમયો એક છેક, એકપણું તત સતે, અનુભવ અભેદથી, શુભ અશુભ સર્વ તે કર્મ એક... કર્મ સર્વ. ૬ શુભ વા અશુભ વા, કેવલ પુદ્ગલમયો, આશ્રતો બંધનો માર્ગ છેક, એકપણું સસ સતે, આશ્રય અભેદથી, શુભ અશુભ સર્વ તે કર્મ એક... કર્મ સર્વ. ૭ હેતુ સ્વભાવ અનુભવ આશ્રયતણો, એમ હોતાં સદાયે અભેદ, કર્મ એકપણું સતે, શુભ અશુભ કર્મનો, નિશ્ચયે હોય ના કોઈ ભેદ.. કર્મ સર્વ. ૮ કર્મ સર્વ નિશ્ચિત, બંધ માર્ગાશ્રિત, તેથી અભેદ તે એક હોય, તેથી તે તો સ્વય, કર્મ સમસ્ત એ, બંધનો હેતુ અભેદ જોયે. કર્મ સર્વ. ૯ બેડી હો લોહની, અથવા સુવર્ણની, તોય તે હોય બેડી જ બેડી, પુણ્ય પાપ બંધ બે, છોડી અમૃત ભજો, આત્મ ભગવાન આ મોક્ષ કેડી... કમ સર્વ. ૧૦
उपजाति हेतुस्वभावानुभवाश्रयाणां, सदाप्यभेदान्न हि कर्मभेदः । तद्वंधमार्गाश्रितमेकमिष्ट, स्वयं समस्तं खलु बंधहेतुः ।।
૭૬૫