SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ છે, “તેથી સંસારનો અભાવ ન હોય”, તો સામો પ્રતિપ્રશ્ન થાય છે કે શું સ્વયં - આપોઆપ અપરિણમતા - ન પરિણમતા જીવને પુદ્ગલ કર્મ ક્રોધાદિ ક્રોધાદિ ભાવે પરિણાવે ? કે પરિણમતાને ? તેમાં પ્રથમ પક્ષ જે કહો તો સ્વયં - પોતે અપરિણમતો કારણકે સ્વતઃ - સ્વ થકી - પોતા થકી અસતી - નહિ હોતી શક્તિ બીજાથી કરી શકાય નહિ, નહિ તોડતી શક્તિઃ મન્ચન પાર્વેત ” અને સ્વયં - પોતે - આપોઆપ પરિણમતો હોય, તે પર - બીજ પરિણમાવનારને અપેક્ષે નહિ, અપેક્ષા રાખે નહિ, કારણકે “વસ્તુ શક્તિઓ પરને અપેક્ષતી નથી, “ર દિ વસ્તુશવત : પરમપેક્ષતે’ - અર્થાતુ જો વસ્તમાં પોતામાં જ શક્તિ છે, તો તે શક્તિને બીજની અપેક્ષા નથી - દરકાર નથી. આમ બન્ને પક્ષ ઘટતા નથી. એટલે પુદ્ગલકર્મરૂપ દ્રવ્ય ક્રોધાદિ સ્વયં નહિ પરિણમતા કે સ્વયં પરિણમતા જીવને ક્રોધાદિ ભાવે પરિણમાવવા સમર્થ નથી. હવે આમ ઉક્ત પ્રકારે બન્ને પક્ષ દૂષિત હોવાથી, ગત્યંતર અભાવથી - બીજી કોઈ ગતિ નહિ હોવાથી, ‘તત: નીવ: રામસ્વભાવ: વનેવાતુ’ - જીવ પરિણામ સ્વભાવી સ્વયમેવ ભલે હો !' અને તેમ હોતાં - ધ્યાનપરિણત: સTધ: સ્વયં દ વ - ગરુડધ્યાન પરિણત સાધક સ્વયં ગરુડ હોય તેની જેમ, અજ્ઞાન સ્વભાવ ક્રોધાદિ પરિણત ઉપયોગ તે જ સ્વયં ક્રોધાદિ હોય, જ્ઞાનસ્વમાવઠ્ઠોધાદ્રિપરિપતેઃ ૩૫યો : સ gવ સ્વયં શોધાદ્રિ ચતુ - અર્થાતુ જેમ ગરુડના ધ્યાનમાં પરિણામથી પરિણત થયેલો સાધક જેમ પોતે જ ગરુડ હોય, તેમ અજ્ઞાન સ્વભાવરૂપ ક્રોધાદિ પરિણામથી પરિણત થયેલો ઉપયોગ તે જ સ્વયં - પોતે ક્રોધાદિ હોય અર્થાત અજ્ઞાન સ્વભાવી ક્રોધ પરિણામે પરિણત થયેલો ઉપયોગ તે જ પોતે ક્રોધ બની જાય, અજ્ઞાન સ્વભાવી માન પરિણામે પરિણત થયેલો ઉપયોગ તેજ પોતે માન બની જાય, અજ્ઞાન સ્વભાવી માયા પરિણામે પરિણત થયેલો ઉપયોગ તેજ પોતે માયા બની જાય, અજ્ઞાન સ્વભાવી લોભ પરિણામે પરિણત થયેલો ઉપયોગ તેજ પોતે લોભ બની જાય, યાવત જીવ પોતે - જીવનો ઉપયોગ પોતે જેવા જેવા ભાવે પરિણમે તેવો તેવો તે પોતે જ હોય છે. આમ “જીવનું પરિણામ સ્વભાવીપણું સિદ્ધ થયું', અર્થાત્ પરિણામીપણું એ જીવદ્રવ્યનો સ્વભાવ છે, એમ ત્રિકાલાબાધિત અખંડ નિશ્ચય સિદ્ધાંત સિદ્ધ થયો. આકૃતિ ગરુડ ધ્યાન પરિણતા સાધક સ્વયં ગરુડ અજ્ઞાન સ્વભાવ ક્રોધાદિ પરિણત ઉપયોગ સ્વિયં ક્રોધાદિ 图回 પર પુદ્ગલ જીવ કર્મ ૬૪૨
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy