________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મખ્યાતિ ટીકાર્થ
મિથ્યાદૅષ્ટિ આદિ ગુણસ્થાનો - પૌદ્ગલિક મોહકર્મ પ્રકૃતિનું વિપાકપૂર્વકપણું સતે નિત્ય અચેતનપણાને લીધે, ‘કારણાનુવિધાયી કાર્યો હોય છે' એટલા માટે, ‘યવપૂર્વક યવો થવો જ છે' એ ન્યાયે, પુદ્ગલ જ છે, નહિ કે જીવ, અને ગુણસ્થાનોનું નિત્યઅચેતનપણું આગમ થકી અને ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્માથી અતિરિક્તપણે વિવેચકોથી સ્વયં ઉપલબ્ધમાનપણા થકી પ્રસાધ્ય છે.
એમ રાગ-દ્વેષ-મોહ, પ્રત્યયો-કર્મ-નોકર્મ-વર્ગ-વર્ગણા-સ્પર્ધકો, અધ્યાત્મસ્થાનો, અનુભાગાસ્થાનો, યોગસ્થાનો, બંધસ્થાનો, ઉદયસ્થાનો, માર્ગણાસ્થાનો, સ્થિતિબંધસ્થાનો, સંક્લેશસ્થાનો, વિશુદ્ધિ સ્થાનો, સંયમલબ્ધિસ્થાનો પણ પુદ્ગલપૂર્વકપણું સતે નિત્ય અચેતનપણાને લીધે પુદ્ગલ જ છે, નહિ કે જીવ એમ સ્વયં આવી પડ્યું. તેથી રાગાદિભાવો જીવ નથી એમ સિદ્ધ થયું. ત્યારે કોણ જીવ છે ? તો કે
આકૃતિ
નિત્ય અચેતન
મોહકર્મ પ્રકૃતિ
ઉદય
ગુણસ્થાન ૧૪
જીવ નથી
પૌદ્ગલિક મોહ ઉદય
ગુણસ્થાન ૧૪
યવપૂર્વક
૪૪૦
વ
વ
કારણાનુવિધાયિ કાર્યો
તર્દિ હો નીવ તિ શ્વેતુ - તો પછી કોણ જીવ છે ? તો કે - (આ નીચેના કળશોમાં કહે છે) -