SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૬૧ - જે રૂપપણાથી વ્યાપ્ત અર્થાત્ જે સમસ્ત જ અવસ્થાઓમાં જે આત્મકપણાથી વ્યાપેલું હોય છે અને જે આત્મકપણાની વ્યાપ્તિથી કદી પણ શૂન્ય ખાલી નથી હોતું, તેનો તેઓની સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ હોય. આ તે ને તે આ એવો તાદાત્મ્યપણારૂપ સંબંધ (Identical relation, Identity) એકાત્મપણારૂપ સંબંધ હોય, આ ત્રણે કાળમાં ન ફરે એવો નિશ્ચય સિદ્ધાંત રૂપ નિયમ (Rule) છે. હવે આ તાદાત્મ્યલક્ષણ સંબંધની પરીક્ષા પુદ્ગલ અને વર્ણાદિ પરત્વે કરીએ તો સ્પષ્ટ જણાય છે કે – સર્વેય અવસ્થાઓને વિષે પુદ્ગલ વર્ણાદિઆત્મકપણાથી સદા વ્યાપ્ત હોય છે અને વર્ણાદિ આત્મકપણાની વ્યાપ્તિથી કદી પણ શૂન્ય-ખાલી-રહિત હોતું નથી, આમ તાદાત્મ્યલક્ષણની બન્ને શરતો (Conditions, Postulates) અત્રે અન્વય-વ્યતિરેકથી પરિપૂર્ણ (fulfilled) થાય છે, એટલે તે પુદ્ગલનો તે વર્ણાદિ સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ હોય. પણ જીવની બાબતમાં જોઈએ તો આથી ઉલટી જ - જૂદી જ સ્થિતિ પ્રવર્તે છે. કારણકે સંસાર અવસ્થામાં ‘કથંચિત્' - કોઈ પ્રકારે કોઈ અપેક્ષાએ (some how relatively) વર્ણાદિઆત્મકપણાથી વ્યાપ્ત અને વર્ણાદિ આત્મકપણાની વ્યાપ્તિથી અશૂન્ય જીવ હોય છે, છતાં મોક્ષ અવસ્થામાં તો જીવ ‘સર્વથા' સર્વ પ્રકારે (altogether, absolutely) વર્ણાદિઆત્મકપણાની વ્યાપ્તિથી શૂન્ય-રહિત-ખાલી હોય છે અને વર્ણાદિઆત્મકપણાથી વ્યાપ્ત નથી હોતો, આમ અમુક અવસ્થામાં વર્ણાદિ સાથે વ્યાપ્તિ અને અમુક અવસ્થામાં અવ્યાપ્તિ હોવાથી, સર્વ અવસ્થાઓમાં જીવની વર્ણાદિ સાથે વ્યાપ્તિ નથી. એટલે તાદાત્મ્ય લક્ષણ સંબંધનો ઉપરોક્ત નિયમ અત્ર અન્વય વ્યતિરેકથી લાગુ પડતો નહિ હોવાથી ‘નીવસ્ય વર્ગાવિમિ: જીવનો વર્ણાદિ સાથે કોઈ પણ પ્રકારે તાદાત્મ્ય સંબંધ છે જ નહિ એમ સિદ્ધ થયું. ‘તાવાસ્યનક્ષણઃ સંબંધઃ ન થંવનાપિ સ્વાત્:' ‘‘આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું. પ૨વસ્તુના ત્યાગી થવું. જેટલા પોતાની પુગલિક મોટાઈ ઈચ્છે છે તેટલા હલકા સંભવે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૫૮), ૮૫ - આકૃતિ ઉપયોગ ગુણ ક્ષીરત્વ ગુણ અધિકત્વ ઉપયોગગુણ અધિકત્વ - દુધ-પાણી અવગાહ સંબંધ ✓ અગ્નિ-ઉષ્ણગુણ તાદાત્મ્ય સંબંધ " आत्मनस्तदजीवेभ्यो बिभिन्नत्वं व्यवस्थितम् । व्यक्तिभेदनयादेशादजीवत्वमपीष्यते ॥ સ્વ જીવ - ૪૨૧ - પર પુદ્ગલ - વર્ણાદિ પુ.પં. આત્મા અવગાહ સંબંધ अजीवा जन्मिनः शुद्धभावप्राणव्यपेक्षया । सिद्धाक्ष निर्मलज्ञाना द्रव्यप्राणव्यपेक्षया ॥ इंद्रियाणि बलं श्वासोच्छ्वासो झायुस्तथा परम् । द्रव्यप्राणाश्चतुर्भेदाः पर्यायाः पुद्गलाश्रिताः । एतत्प्रकृतिभूताभिः शाश्वतीभिस्तु शक्तिभिः । जीवत्यात्मा सवेत्येषा शुद्धद्रव्यनयस्थितिः ॥ जीवो जीवति न प्राणैर्विना तैरेव जीवति । તું વિન્ન પત્રિ કે અંત પર્વનુવૃંતામ્ ।' - શ્રી યશોવિજયજી કૃત અ.સા. આ.નિ.અ. ૫૩-૫૮ - - આત્મા તાદાત્મ્ય સંબંધ
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy