________________
સમયસાર : આત્મખ્યાતિ
“સ્પર્શરHiાંધવનિમિત્તનપરિજીતપિ' - સ્પર્ધાદિ નિમિત્ત છે જેનું એવા સંવેદનનું પરિણતપણામાં - પણ સ્વયં સ્પર્ધાદિ રૂપે અપરિણમનને લીધે પરમાર્થથી સદૈવ અરૂપી છું.” - “સ્વયં સ્પર્શારિરૂપે પરિણમનાતુ પરમાર્થતઃ સવૈવ રૂપી:' - અર્થાત્ સ્પર્શ-રસ-ગંધ-વર્ણનું નિમિત્ત પામી સંવેદનનું-આત્માનુભવનનું પરિણતપણું હોય છે, તેમાં પણ તે સંવેદનને સ્પર્શારિરૂપે સ્વયં પરિણમન હોતું નથી, સ્પર્ધાદિનું સંવેદન-અનુભવન-જાણપણું જોકે આત્માને થાય છે, પણ તેથી આત્મા પોતે કાંઈ સ્પર્ધાદિ રૂપે થઈને પરિણમતો નથી, સ્પર્શારિરૂપ બની જતો નથી, આમ હું પરમાર્થથી સર્વકાળ સદૈવ અરૂપી-અમૂર્ત છું, ઈદ્રિય ગ્રાહ્ય જેનું કોઈ પણ રૂપ નથી એવો અતીન્દ્રિય અરૂપી છું. એમ ચિન્માત્ર જ્યોતિ હું એક શુદ્ધ દર્શનજ્ઞાનમય સદા અરૂપી છું, અત એવ “પ્રત્ય મહં સ્વરૂપે
સંતયમાનઃ પ્રતમ - “પ્રત્યગુ’ - અંતર્ગત - પૃથક એવો હું સ્વરૂપને સ્વરૂપ પ્રતપન સંચેતી રહેલો આવો પ્રતપું છું. અર્થાતુ પરમ જ્યોતિ સ્વરૂપ આત્મા
બીજા બધાયથી સર્વથા ભિન્ન - અલાયદો અંતર્ગત એવો આ સહજાત્મસ્વરૂપ સંચેતતો સમ્યક પ્રકારે અનુભવતો સતો ઉગ્ર પ્રભાવી સ્વરૂપ તેજથી પ્રતાપી રહ્યો છું, તિમિર પટલને નષ્ટ કરતો સતો ઉગ્ર પ્રતાપી દિનમણિ જેમ ગગનમાં સ્વરૂપ તેજથી ઝળહળે છે, તેમ મોહતમસુ પટલને વિદારતો પરમજ્યોતિ સ્વરૂપ હું ચૈતન્ય દિવાકર્ડ નિર્વિકલ્પ ચિત્ આકાશમાં ઉગ્ર સહજાત્મસ્વરૂપ તેજથી પ્રતાપી રહ્યો છું, સ્વરૂપ પ્રતપન તેજથી પ્રકૃષ્ટપણે તપી રહ્યો છું અને “gવં તપત મમ' - એમ સ્વરૂપમાં પ્રતપતા “મહારૂં વિચિત્ર સ્વરૂપસંપદથી વિશ્વમાં -
પરિફુરી રહેલમાં પણ – ‘વદર વિચિત્રસ્વરૂપસંપા વિષે રિક્રુરત્ય' - કંઈ અન્ય કંઈ પણ પરમાણુમાત્ર પણ અન્ય પરમાણુમાત્ર પણ આત્મીયપણે પ્રતિભાસતું નથી. ‘ન પણ હારૂં નથી વિનાન્યતુ પરમાણુમાત્રમત્યાત્મિીયત્વેન પ્રતિમતિ' - એમ ઉપરમાં વિવરી
દેખાડ્યું તેવા સંહાત્મસ્વરૂપી પ્રત્યગુ - અંતર્ગત - ચિન્માત્ર જ્યોતિ સ્વરૂપમાં હું ઉગ્ર સહજાત્મસ્વરૂપ પ્રતાપથી પ્રતાપી રહ્યો છું અને બહિર્ગત - વ્હારમાં - આત્માથી વ્હારમાં - વિચિત્ર - નાના પ્રકારની પોતપોતાની સ્વરૂપ સંપથી આખું જગતુ પરિફુરી રહ્યું છે, જ્ઞાનમય આત્મામાં જોયાકારે બધી બાજુથી ફુરી રહ્યું છે. પણ આત્મબાહ્ય એવા તે વિચિત્ર સ્વરૂપ સંપથી બહિર્ગત પરિસ્ફરતા જોયાકાર વિશ્વમાં પણ બીજું કંઈ પણ પરમાણુ માત્ર પણ હારૂં આત્મીયપણે - પોતાનાપણે પ્રતિભાસતું નથી. જેમ ઉગ્ર પ્રતાપી મહારાજનો પ્રતાપ પ્રતપતો હોય ત્યાં સમસ્ત પરચક્ર નષ્ટ થાય છે અને પરચક્રનું ચકલું પણ ફરકી શકતું નથી, તેમ આ પરમ પ્રતાપી આત્મ-રાજરાજેશ્વર જ્યાં સહજાત્મસ્વરૂપ પ્રતાપથી પ્રતપતો હોય, સ્વરૂપ પ્રતપન રૂપ પ્રકૃષ્ટ તપસ્તાથી - પ્રકષ્ટપણે તપી રહ્યો હોય ત્યાં પછી પરભાવરૂપ સમસ્ત પરચક્ર નષ્ટ થાય છે અને પરચક્રનું પરમાણુ માત્ર પણ આત્મપ્રદેશમાં પ્રવેશ કરી શકતું નથી. ભલે બહારમાં વિચિત્ર સ્વરૂપ સંપથ્રી વિશ્વ પરિફુરી રહ્યું છે, મ્હારા જ્ઞાનમાં જોયાકાર પ્રતિભાસથી બધી બાજુએ ફુરી રહ્યું છે, છતાં એમાં એવું કંઈ પણ પરમાણુ જેટલું પણ મને મ્હારું પોતાનું - આત્માનું ભાસતું નથી, કે “જે ભાવકપણે ને શેયપણે મહારા આત્મા સાથે એકરૂપ થઈ પુનઃ મોહનો ઉદ્ભવ કરાવે”, “યત્ માવજત્વેન યત્વેનવૈમૂય પૂરો મોહમુમાવતિ' - કારણકે “વરસથી જ પુનઃ પ્રાદુર્ભાવ ન થાય એમ મોહને સમૂલ કબૂલી - મહત્ જ્ઞાનોદ્યોતનું પ્રસ્તુરિતપણું થયું છે.” “વરસતા વાપુન:પ્રાદુર્ભાવાય સમૂર્ત મોહમુનૂન્ય મહતો જ્ઞાનોદ્યોતી પ્રરિતત્વતિ'. - અર્થાતુ મોહનું જડમૂળથી નિકંદન કાઢી નાંખી મહાજ્ઞાન ઉદ્યોત - મહાજ્ઞાન - પ્રકાશ એટલો બધો પ્રસ્તુરિત થયો છે, પ્રકૃષ્ટપણે હુરિત થયો છે, ‘મહતો જ્ઞાનોદ્યોતસ્ય પ્રસ્કુરિતત્વત્' - એટલો બધો ઝળહળી રહ્યો છે, કે હવે ફરીને મોહઅંધકારનો પ્રાદુર્ભાવ કદી પણ થાય જ નહિ, મોહ કદી પણ. માથું ઉંચકી શકે નહિ એમ તેનો સદાને માટે સર્વનાશ થયો છે. “અશ્રુત’ - સ્વરૂપથી અમૃત-અભ્રષ્ટ આત્માના પ્રસાદથી મોહ નષ્ટ થયો છે અને આત્મસ્મૃતિ પ્રાપ્ત થઈ છે.
૩૪૪