SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગ સમયસાર ગાથા-૧૯ પુદ્ગલપરિણામો છે - આ કર્મ અને નોકર્મ બન્નેય જડ અચેતન એવા પુગલના પરિણામો છે અને આત્મા તો અજડ ચેતનમૂર્તિ છે. આ જડ અને ચેતન પ્રગટ જૂદી જૂદી - ભિન્ન ભિન્ન વસ્તુ છે, તેનું અભેદપણું કેમ ઘટે ? એટલે કર્મ-નોકર્મમાં અહંરૂપ આત્મબુદ્ધિ અને આત્મામાં કર્મ-નોકર્મ એવી બુદ્ધિ જ્યાં લગી હોય, ત્યાં લગી આત્મા અપ્રતિબુદ્ધ - પ્રતિબોધ નહિ પામેલો - અબૂઝ જ હોય. અત્રે ઘટનું જે આ દગંત છે, તેનું વિષમપણે સાધર્મ છે - વૈધર્મેથી દાંતપણું છે (Comparison by contrast), કારણકે ઘટની બાબતમાં તો સ્પર્શાદિ વૈધર્મથી ઘટ દેણંત ભાવથી અને પુદગલ સ્કંધપર્યાયથી ઘટનું અભિન્નપણું પ્રગટ છે, તેથી ત્યાં વસ્તુનો અભેદ બરાબર છે, પણ અહીં આત્માની બાબતમાં તો પુદ્ગલ પરિણામ રૂપ કર્મથી અને નોકર્મથી ચેતન સ્વરૂપી આત્માનું ભિન્નપણું પ્રગટ છે, તેથી એમાં વસ્તુનો અભેદ બરાબર નથી. છતાં તે ચેતન-અચેતન વસ્તુનો અભેદ માનવો તેજ પ્રગટ અબૂઝપણું - અણસમજુપણું - અપ્રતિબુદ્ધપણું છે. વળી આ અચેતન કર્મ-નોકર્મ પુદ્ગલપરિણામો ચેતન આત્માથી ભિન્ન વસ્તુ સ્વરૂપ છે એટલું જ નહિ, પણ તે ઉલટા આત્માનો તિરસ્કાર કરનારા - “આત્મ તિરસ્કારી’ છે - “માતિરક્કાર:' - આત્માને તિરોભૂત કરનારા - આવરણ કરનારા - ઢાંકી દેનારા - પ્રગટ ન થવા દેનારા છે, આત્માના પ્રત્યેનીક - દુશ્મન પર છે. આવા પરભાવ રૂપ - આત્મશત્રુ રૂપ આત્મતિરસ્કારી આવરણભૂત કર્મ-નોકર્મ પુદગલ પરિણામોને જીવ જ્યાં લગી આત્માથી અભિન્ન માને, ત્યાં લગી વસ્તુગતે વસ્તુની ગતાગમ નહિ હોવાથી તે અપ્રતિબુદ્ધ જ છે, અબૂઝ અજ્ઞાની જ છે. હવે તે પ્રતિબદ્ધ ક્યારે થશે ? તેનો પણ તાત્ત્વિક ખુલાસો દિવ્ય દષ્ટા આત્મખ્યાતિકાર આચાર્યજીએ અત્રે દર્પણના દૃષ્ટાંતથી પરિસ્પષ્ટપણે કર્યો છે, જેમ “રૂપી” દર્પણ દાંત - આત્માની એવા દર્પણના સ્વપર આકાર અવભાસિની સ્વચ્છતા જ છે અને અગ્નિની શાતૃતા પુદ્ગલોના કર્મ નોર્મ ઉષ્ણતા અને જ્વાલા છે, તેમ નિરૂપસ્યાત્મનઃ' - નીરૂપ એવા આત્માની એમ ભેદવિજ્ઞાનમૂલા અનુભૂતિ સ્વપરાકાર અવભાસિની જ્ઞાતતા જ છે, “વપરાફRવમાસિન જ્ઞાતૃતૈવ', અને થશે ત્યારે પ્રતિબદ્ધ પુદ્ગલોના કર્મ તથા નોકર્મ છે – “ પુતાનાં વર્ષ નો ', એવી સ્વતઃ કે પરતઃ જ્યારે કદાચિત્ ભેદ વિજ્ઞાનમૂલા અનુભૂતિ ઉપજશે ત્યારે જ આ પ્રતિબુદ્ધ થશે. અર્થાત્ દર્પણ છે તે રૂપી છે, તે રૂપી દર્પણની તો સ્વચ્છતા જ - નિર્મલતા જ છે અને તે સ્વચ્છતા “સ્વપરાકારાવભાસિની' - સ્વ પર આકારનું “અવભાસન' - “અવ” - વસ્તુની સ્વરૂપ મર્યાદા પ્રમાણે જેમ છે તેમ “ભાસન - પ્રકાશન કરનારી છે અને તે દર્પણની સમક્ષમાં - સંનિધિમાં અગ્નિ મૂક્યો છે, તે અગ્નિની ઉષ્ણતા અને જ્વાલા છે. તેમ આત્મા છે, તેની સમીપમાં – સંનિધિમાં કર્મ-નોકર્મ છે, તેમાં આત્મા અરૂપી છે, એ અરૂપી આત્માની જ્ઞાતૃતા જ - શાયકતા જ છે અને તે જ્ઞાતૃતા “સ્વ પરાકારાવભાસિની' - સ્વ પર આકારનું “અવભાસન” - “અવ” - વસ્તુ મર્યાદા પ્રમાણે જેમ છે તેમ “ભાસન - પ્રકાશન કરનારી છે અને પુગલોના કર્મ તથા નોકર્મ છે, આવા પ્રકારે “સ્વતઃ પરતો વા' - “સ્વતઃ' સ્વયંબુદ્ધપણે પોતા થકી કે “પરતઃ બોધિતબુદ્ધપણે પર થકી - સદ્દગુરુ થકી “વફા તું' - જ્યારે કદાચિત્ ભેદ વિજ્ઞાનમૂલા* અનુભૂતિ ઉપજશે – વિજ્ઞાનમૂનાનુભૂતિરુFસ્યતે' - ભેદ "आत्मा भिन्नस्तदनुगतिमत् कर्म भिन्नं तयो र्यो, प्रत्यासत्तेर्भवति विकृतिः सापि भिन्ना तथैव । कालक्षेत्रप्रमुखमपि यत्तच्च भिन्न मतं मे, પિન્ન ભિન્ન નિનામુIKતં સર્વત II” - શ્રી પવનંદિ પં. એકત્વ સપ્તતિ, ૭૯ અર્થાતુ - આત્મા ભિન્ન છે, તેનું અનુગતિમંત કર્મ ભિન્ન છે, તેમજ તે બન્નેની પ્રત્યાસત્તિથી - અત્યંત નિકટતાથી જે વિકૃતિ થાય છે તે પણ ભિન્ન છે, કાલ-ક્ષેત્ર પ્રમુખ પણ જે છે તે પણ મને ભિન્ન મત છે, એમ નિજ-પોત પોતાના ગુણથી અલંકૃત આ સર્વ ભિન્ન ભિન્ન છે. ૨૨૭.
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy