________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૪
આત્માનું અનિયતપણું ભૂતાર્થ છે, સાચું છે, છતાં – નિત્યવ્યવસ્થિતમાત્મસ્વમાનમુત્યનમૂયમાનતાયાં - નિત્ય વ્યવસ્થિત એવા આત્મ સ્વભાવને આશ્રી અનુભવાઈ રહ્યાપણામાં – તે અનિયતપણું અભૂતાર્થ છે - મૂતાઈ - એટલે કે આત્માનું નિયતપણું ચોક્કસ નિયમિત સ્વભાવ મર્યાદાપણું ભૂતાર્થ છે. ૪. આત્મા અવિશેષ છે, સુવર્ણની જેમ. સોનું છે, તેનું સ્નિગ્ધપણું - ચીકણાપણું પીળાપણું,
ભારીપણું આદિ પર્યાયોથી અનુભવાઈ રહ્યાપણામાં સોનાનું વિશેષપણું સવર્ણની જેમ પર્યાયથી આત્માનુભૂતાર્થ છે, સાચું છે, છતાં સમસ્ત વિશેષ જ્યાં પ્રત્યસ્તમિત છે - આથમી વિશેષપણે ભૂતાર્થ છતાં આત્મ ગયા છે, એવા સોનાના સ્વભાવને આશ્રી અનુભવાઈ રહ્યાપણામાં સોનાનું સ્વભાવ આશ્રી અભૂતાર્થ તે વિશેષપણે અભતાર્થ છે. એટલે કે અવિશેષપણું જ ભૂતાર્થ છે, સાચું -
સત્ છે. તેમ - જ્ઞાન દર્શનાદિ પર્યાયોથી અનુભવાઈ રહ્યાપણામાં આત્માનું વિશેષપણું ભૂતાર્થ છે, છતાં - પ્રસ્તfમતસમસ્તવિશેષમાભાવમુખેત્યાનુમૂયમાનતાયાં - સમસ્ત વિશેષ
જ્યાં પ્રત્યસ્તમિત છે - આથમી ગયા છે, એવા આત્મ સ્વભાવને આશ્રી અનુભવાઈ રહ્યાપણામાં તે વિશેષપણું અભૂતાર્થ મૂતાઈ - છે, એટલે કે અવિશેષપણું જ ભૂતાર્થ છે, સાચું છે, પરમાર્થથી સત્ છે. ૫. આત્મા અસંયુક્ત છે, જલની જેમ – જલ છે, તેનું અગ્નિ નિમિત્તે આહિત (આધાન કરવામાં
આવેલ - મૂકવામાં આવેલ) ઉષણત્વ પર્યાયથી અનુભવાઈ રહ્યાપણામાં | ઉષણ-જલ જેમ પર્યાયથી સંયુક્તપણં ભતાર્થ છે. છતાં એકાંતે શીત જલ સ્વભાવને આશ્રી અનુભવાઈ આત્માનું સંયુક્તપણે ભૂતાથ રહાપણામાં તે સંયુક્તપણે અભૂતાર્થ છે, એટલે કે અસંયુક્તપણે ભૂતાર્થ છે, છતાં, આત્મસ્વભાવ આશ્રી અભૂતાર્થ
આ સાચું છે, સત્ છે. તેમ - કર્મ નિમિત્તે આહિત (આધાર કરાયેલ -
* મૂકાયેલ) મોહત્વ પર્યાયથી અનુભવાઈ રહ્યાપણામાં - આત્માનું સંયુક્તપણું ભૂતાર્થ છે, છતાં પૂછાંતતઃ સ્વયં વોઘવીનત્વમવિમુખેત્યાનુમૂયમાનતાયાં - એકાંતે સ્વયં બોધબીજ સ્વભાવને આશ્રી અનુભવાઈ રહ્યાપણામાં તે સંયુક્તપણું અભૂતાર્થ - સમૂતાઈ - છે, એટલે કે અસંયુક્તપણું જ ભૂતાર્થ છે, સાચું છે, સત્ છે.
આમ આ સર્વનો ફલિતાર્થ એ છે કે - આત્માના સ્વભાવને અનુભવતાં જલ નિમગ્ન કમલ પત્રની જેમ આ આત્મા કર્મ નિમગ્ન છતાં અબદ્ધ સૃષ્ટ છે, ૫ગલ કર્મથી નહિ બંધાયેલો - નહિ સ્પર્ધાયેલો છે, સર્વ પર્યાયોમાં વ્યાપ્ત અનન્ય મૃત્તિકા દ્રવ્યની જેમ અનન્ય છે, સમુદ્રની જેમ સ્વરૂપ સીમાને ધરતો “સીમંધર” હોઈ સ્વભાવ મર્યાદામાં નિયત-નિત્ય વ્યવસ્થિત છે, સર્વ ગુણોમાં વ્યાપ્ત સુવર્ણની જેમ વિશેષ છે, સ્વભાવે શીતલ જલની જેમ અસંયુક્ત છે. તાત્પર્ય કે - આત્માના શુદ્ધ સ્વભાવ પ્રત્યે દૃષ્ટિ ઠેરવીને જોઈએ તો - (૧) આ આત્મા કર્મરૂપ પર દ્રવ્યમાં નિમગ્ન છતાં અબદ્ધસ્કૃષ્ટ છે, (૨) પરદ્રવ્ય સંયોગથી ઉપજેલા પર્યાયોમાં પણ અન્ય - અનાત્મા હોતો નથી, પણ અનન્ય - સર્વત્ર આત્મા જ હોય છે, (૩) સ્વરૂપ સીમાને ધારતો “સીમંધર' હોઈ સ્વભાવ મર્યાદાને કદી ઉલ્લંઘતો નહિં હોવાથી નિયત છે. (૪) ખડખંડ વિશેષ રૂપ નથી, પણ અનંત ગુણ-વિશેષ સમુદાયરૂપ અખંડ-અભંગ રૂપ હોઈ અવિશેષ છે, (૫) મોહાદિ ભાવકર્મથી પણ અસંયુક્ત છે. આ સર્વ આશયનું સંક્ષેપમાં હૃદયંગમ અમૃત વાણીમાં જે દિગ્દર્શન કરાવતું અનુપમ સંગીત મહા ગીતાર્થ યોગિરાજ અનંદઘનજીએ અપૂર્વ ભાવાવેશથી લલકાર્યું છે –
ગ્રહ નક્ષત્ર તારા ચંદ્રની, જ્યોતિ દિનેશ મઝાર રે; દર્શન શાન ચરણ તણી, શક્તિ નિજાતમ ધાર રે.
ધરમ પરમ અરનાથનો. ભારી પીળો ચીકણો, કનક અનેક તરંગ રે; પર્યાય દૃષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે.. ધરમ પરમ.
૧૭૭