SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ संक्षिप्त भावार्थ ધર્મહેતુના કારણે ___ साधुसेवा सदा भक्त्या, मैत्री सत्वेषु भावतः । ___ आत्मीयग्रहमोक्षश्च, धर्महेतुप्रसाधनम् ॥ ६ ॥ સર્વદા બહુમાન પૂર્વક સાધુસેવા-જ્ઞાનાદિ ગુણાના નિધાન એવા મુનિવરની ઉપાસના, નિખિલ જતુ પ્રત્યે હાર્દિક મૈત્રી, અને મમત્વનો ત્યાગ; આ ત્રિપુટી ધર્મના હેતુ જે અહિંસાદિ તેનું અદ્વિતીય સાધન છે. (૬) સાધુસેવાનું ફળ– उपदेशः शुभो नित्यं, दर्शनं धर्मचारिणाम् । स्थाने विनय इत्येतत् , साधुसेवाफलं महत् ॥ ७॥ પ્રતિદિન ઉત્તમ ઉપદેશ મળે, પવિત્ર મુનિવરોનું દર્શન થાય, અને ઉચિત સ્થાને વિનય થાય; આ બધું સાધુસેવાનું મહાન ફળ છે. (૭) મૈત્રીનું ફળ– मैत्री भावयतो नित्यं, शुभो भावः प्रजायते। ततो भावोदकाअन्तो-द्वेषाग्निरुपशाम्यति ॥ ८॥ મૈત્રીભાવને ધારણ કરતા જીવને સર્વદા શુભ ભાવ પેદા થાય છે, અને તે શુભ ભાવરૂપી જળથી જીવને દ્વેષરૂપી અગ્નિ શાન્ત થાય છે. (૮) મમત્વત્યાગનું ફળ___ अशेषदोषजननी, निःशेषगुणघातिनी। मात्मीयग्रहमोक्षेण, तृष्णाऽपि विनिवर्तते ॥९॥ મમત્વને ત્યાગ કરવાથી, સકલ દોષની ઉત્પાદક અને સકલ ગુણની ઘાતક એવી તૃષ્ણા પણ નિવૃત્ત થાય છે. (૯) સધર્મનો સાધક– एवं गुणगणोपेतो, विशुद्धात्मा स्थिराशयः । तत्वविद्भिः समाख्यातः, सम्यग्धर्मस्य साधकः ॥१०॥ ઉપર જણાવ્યા પ્રમાણે ગુણગણથી સહિત, વિશુદ્ધચિત્તવાળો, અને સ્થિરાશયવાળો જે પ્રાણું, તેને તત્ત્વજ્ઞ પુરુષોએ સધર્મનો સાધક કહ્યો છે. (૧૦)
SR No.022388
Book TitleShastra Vartta Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1954
Total Pages300
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy