SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૦ | ગાથા-૮ drદેશોÁપાવચ્છિન્નમૂત્તપાદિના="તે તે દેશના ઉદ્ઘભાગથી અવછિન્ન મૂર્ત અભાવાદિથી=જે ઉપરના સ્થાનમાં પક્ષી છે અને જે ઉપરના સ્થાનમાં પક્ષી નથી ત્યાં તે તે ભૂતલના ઉદ્ઘભાગથી યુક્ત એવા મૂર્તદ્રવ્યનો અભાવ અર્થાત્ ભૂતલ જેવા મૂર્તદ્રવ્યનો અભાવ છે ઈત્યાદિ દ્વારા તક્રયવહારોપત્તિ =તેના વ્યવહારની ઉપપત્તિ છે"=‘આ ભાગમાં પક્ષી છે, આ ભાગમાં પક્ષી નથી' એ પ્રકારના વ્યવહારની ઉપપત્તિ છે, તિ વર્તમાનાથુરું નાનવદ્ય=એ પ્રમાણે વર્ધમાનાદિ તાર્કિકો વડે કહેવાયેલું અનવદ્ય તથી નિર્દોષ નથી અર્થાત્ દોષવાળું છે; તસ્થ=કેમ કે તેને=વર્ધમાન ઉપાધ્યાયે આકાશને સ્વીકાર્યા વગર ભૂતલને અવલંબીને “અહીં પક્ષી છે, અહીં પક્ષી નથી' એ પ્રકારનો વ્યવહાર સંગત કર્યો તેને, અમાવાલિનિષ્ઠત્વેનાનુભૂયમાનદ્રવ્યથારશાપના પ્રસાન્નિ અભાવાદિ નિષ્ઠપણાથી અનુભૂયમાન દ્રવ્યના આધારસંશના અપલાપનો પ્રસંગ છે, તાતિસંથાપિ= અને તેટલા અપ્રતિસંધાનમાં પણ=વર્ધમાન ઉપાધ્યાયે કહ્યું કે “આ ભૂતલના ઉપરના ભાગમાં પક્ષી છે અને આ ભૂતલના ઉપરના ભાગમાં પક્ષી નથી' તેટલા અપ્રતિસંધાનમાં પણ, નોવેરાવાળ= લોકવ્યવહારથી, ગાવાશશ પ્રતિસંથાવો વ્યવહાર આકાશ દેશનું પ્રતિસંધાન કરીને ઉક્ત વ્યવહાર થાય છે. તે આકાશ-લોક, અલોક-ભેદથી બે પ્રકારનું કહેવાયું છે=આગમમાં કહેવાયું છે, =જે=આકાશના બે ભેદને કહેનારું જે, સૂત્રસૂત્ર છે – વદે મારે પUNIQ=બે પ્રકારનો આકાશ કહેવાયો છે. નોકરિ અત્નોમાસે =લોકાકાશ અને અલોકાકાશ.” (ભગવતીસૂત્ર, સૂત્ર-૧૨૧) ૧૦/૮ ભાવાર્થ આકાશને છોડીને સર્વ દ્રવ્યોને રહેવાનું જે સ્થાન આપે તે આકાશદ્રવ્ય છે. સર્વ દ્રવ્યો આકાશના એક દેશમાં રહેલાં છે તેથી આકાશથી અન્ય એવાં સર્વ દ્રવ્યોના અવગાહનવાળું આકાશ લોકાકાશ કહેવાય છે, અને જ્યાં અન્ય દ્રવ્યો નથી, માત્ર આકાશદ્રવ્ય જ છે તે અલોકાકાશ કહેવાય છે. આમ છતાં આકાશ એક અખંડ દ્રવ્ય છે પરંતુ લોકાકાશ અન્ય છે અને અલોકાકાશ અન્ય છે તેમ બે જુદા પદાર્થો નથી. વળી, ભૂતલ પણ ઘટને રહેવાનું સ્થાન આપે છે તોપણ ભૂતલ સર્વ દ્રવ્યોને અવકાશ આપતું નથી, તેથી હંમેશાં સર્વદ્રવ્યસાધારણ એવું જે અવકાશ છે તેને જે આપે તે આકાશ છે એ પ્રકારનું આકાશનું લક્ષણ છે. માટે સર્વ દ્રવ્યોમાં અનુગત એવું આકાશાસ્તિકાયદ્રવ્ય સર્વદ્રવ્યનો આધાર છે. આકાશાસ્તિકાયેદ્રવ્ય છે તેને સ્વીકારવા માટે ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે – ઉપર કોઈ પક્ષી ઊડતું હોય તેને જોઈને કહેવાય છે કે “આ સ્થાનમાં પક્ષી છે, આ સ્થાનમાં પક્ષી નથી” તેથી પક્ષીનો આધાર આકાશદ્રવ્ય છે અને પક્ષીના અભાવનો આધાર પણ આકાશદ્રવ્ય છે. જેમ ભૂતલમાં આ સ્થાનમાં ઘટ છે અને આ સ્થાનમાં ઘટ નથી' એમ કહેવાય છે ત્યારે ઘટનો આધારસ્થાન ભૂતલનો અન્ય ભાગ છે અને ઘટના અભાવનો આધાર ભૂતલનો અન્ય ભાગ છે તેમ પક્ષીનો આધાર આકાશનું અન્ય સ્થાન છે અને પક્ષીના અભાવનો આધાર આકાશનું અન્ય સ્થાન છે તેમ સ્વીકારવું જોઈએ. આ રીતે ગ્રંથકારશ્રીએ યુક્તિથી આકાશની સિદ્ધિ કરી. ત્યાં ન્યાયદર્શનના વર્ધમાન ઉપાધ્યાય કહે છે
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy